સંસદમાં કોંગ્રેસ નેતા: ‘પુણેમાં હિંસા પાછળ RSSના લોકોનો હાથ’
બંને સદનમાં ગાજ્યો પુણે હિંસાનો મુદ્દો કોંગ્રેસ નેતાએ આરએસએસ પર મુક્યો આરોપ આ અંગે વધુ વાંચો અહીં..
મહારાષ્ટ્રના પુણેમાં થયેલ ભીમા કોરેગાંવ હિંસાનો મુદ્દો બુધવારે સંસદના બંને સદનમાં ગાજ્યો હતો. લોકસભામાં કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉંચકતા પૂછ્યું હતું કે, આ હિંસા કોણે ભડકાવી હતી અને કોણે એ કાર્યક્રમમાં હસ્તક્ષેપ કર્યો. સમાજમાં ભાગલા પાડવામાં કટ્ટર હિંદુત્વવાદી, જે ત્યાંના આરએસએસના લોકો છે, એમનો હાથ છે. તેમણે આ કરાવ્યું છે. તેમની માંગ છે કે, ભીમા કોરેગાંવ હિંસા મામલાની તપાસ સુપ્રીમ કોર્ટના જજ પાસે કરાવવી જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સદનમાં આવી આ મુદ્દે જવાબ આપવો જોઇએ. તેઓ મૌન નહીં રહી શકે. આ પ્રકારના મામલે તેઓ મૌની બાબા બની જાય છે.

'કોંગ્રેસની ભાગલા પાડોની નીતિ'
કોંગ્રેસના આરોપો પર સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યું કે, કોંગ્રેસ ભાગલા પાડો અને રાજ કરોની નીતિનો ઉપયોગ કરી રહી છે અને સૌનો સાથ-સૌનો વિકાસ કરી નરેન્દ્ર મોદી દેશને સાથે લાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, આગ હોલવવાની જગ્યાએ, ભડકાવવાનું કામ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી કરી રહી છે. દેશ આ સહન ના કરી શકે.
રાજ્યસભામાં પણ ગાજ્યો મુદ્દો
આ પહેલા રાજ્યસભામાં કોંગ્રેસ સહિત આખા વિપક્ષે આ મુદ્દો ઉઠાવતા ખૂબ હોબાળો થયો હતો. આ કારણે રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. આ પહેલાં સમાજવાદી પાર્ટીના સાંસદ નરેશ અગ્રવાલ અને કોંગ્રેસ સાંસદ રજની પાટિલે મહારાષ્ટ્ર હિંસા અંગે રાજ્યસભામાં મોકૂફીની દરખાસ્ત કરી હતી. તો લોકસભામાં કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગે અને બિહારના મધેપુરા સાંસદ પપ્પુ યાદવે પણ મહારાષ્ટ્ર હિંસા અંગે લોકસભામાં મોકૂફીની દરખાસ્ત નોટિસ આપી હતી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી










Click it and Unblock the Notifications
