પૂણે પોલિસનો દાવો, ભીમા કોરેગાંવ હિંસા યોજનાબદ્ધ ષડયંત્ર, કાર્યકર્તાઓ વિરુદ્ધ પુરાવા
ભીમા કોરેગાંવ હિંસા મામલે હાલમાં જ કરવામાં આવેલી ધરપકડ પર પૂણે પોલિસનું નિવેદન આવ્યુ છે.
ભીમા કોરેગાંવ હિંસા મામલે હાલમાં જ કરવામાં આવેલી ધરપકડ પર પૂણે પોલિસનું નિવેદન આવ્યુ છે. પૂણે પોલિસના એક અધિકારીએ કહ્યુ કે ભીમા કોરેગાંવ હિંસા રાજ્ય સરકાર સામે એક સમજી વિચારીને કરેલુ ષડયંત્ર હતુ અને પોલિસ પાસે તેના પૂરતા પુરાવા છે. વરિષ્ઠ પોલિસ અધિકારીએ જણાવ્યુ કે ભીમા કોરેગાંવમાં હિંસા ફેલાવવાનો પ્લાન 8 મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો.

પોલિસે કર્યો પુરાવા હોવાનો દાવો
પોલિસ અધિકારીએ જણાવ્યુ કે જે દસ્તાવેજો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે તે એ સાબિત કરવા માટે પૂરતી છે કે તેમનો ભીમા કોરેગાંવ હિંસા સાથે સંબંધ હતો અને એલ્ગર પરિષદ રેલી પણ આનો એક હિસ્સો હતી. આ મામલાની તપાસ દરમિયાન માઓવાદીઓના શામેલ હોવાના સંકેત મળ્યા હતા જ્યારે બીજી તરફ કેટલાક હિંદુ સંગઠનો સાથે જોડાયેલા કાર્યકર્તાઓની તરફ પણ ઈશારો કરવામાં આવ્યો હતો. પોલિસ અધિકારીના વેંકટેશને જણાવ્યુ કે માઓવાદીઓના ડાબેરી વિચારકોના સંબંધનો મામલો એલ્ગર પરિષદ સુધી નથી પરંતુ એનાથી પણ મોટો છે.

પહેલેથી રચવામાં આવી રહ્યુ હતુ ષડયંત્ર
તેમણે જણાવ્યુ હતુ કે એલ્ગર પરિષદ રેલીથી માઓવાદીઓના સંબંધની તપાસ પૂણે પોલિસ દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે સંભાજી ભીડે અને મિલિંદ સામે પહેલેથી જ કેસ ફાઈલ કરી દેવાયો છે. હાલમાં જ પોલિસે 5 ડાબેરી વિચારકોની ધરપકડ કરી હતી જેમાં ડાબેરી વિચારક વરવરા રાવ, પત્રકાર ગૌતમ નવલખા, કાર્યકર અને વકીલ સુધા ભારદ્વાજ, કાર્યકર વેરનન ગોંઝાલવિસ અને કાર્ટુનિસ્ટ અરુણ ફરેરા શામેલ છે. જ્યારે 31 ડિસેમ્બરના રોજ એલ્ગર પરિષદ રેલીના આયોજકોમાંથી એક રિટાયર્ડ જજ, બી જી કોલ્સે પાટિલે કહ્યુ કે જો આ ષડયંત્ર હતુ તો આની પાછળ હિંદુ સંગઠનોનો હાથ હતો. વળી, મહારાષ્ટ્ર પોલિસના એડીજી પરમબીર સિંહે કહ્યુ કે જ્યારે પોલિસને વિશ્વાસ થઈ ગયો કે તેમના માઓવાદીઓ સાથે સંબંધ છે ત્યારબાદ જ આ લોકોની ધરપકડ માટે અલગ અલગ શહેરોમાં રેડ પાડવામાં આવી હતી. પુરાવા સ્પષ્ટ ઈશારો કરે છે કે તેમના માઓવાદીઓ સાથે સંબંધ છે.

5 ડાબેરી વિચારકોની થઈ હતી ધરપકડ
તમને જણાવી દઈએ કે ધરપકડ કરાયેલ પાંચે ડાબેરી વિચારકોને સુપ્રિમ કોર્ટે પાંચ સપ્ટેમ્બર સુધી નજરકેદ રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ આદેશને પૂણે પોલિસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. કોર્ટે આ મામલે સુનાવણી કરતા કહ્યુ હતુ કે ધરપકડ કરાયેલ પાંચે લોકોને રિમાન્ડ પર લેવામાં નહિ આવે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
