સુનિલ રાઠી નહીં પરંતુ આ છે મુન્નાની હત્યા પાછળનો માસ્ટરમાઈન્ડ
પૂર્વાંચલના કુખ્યાત ડોન મુન્ના બજરંગીની 9 જુલાઇએ બાગપત જેલમાં હત્યા બીજું કોઈ પણ પરંતુ મુખ્તાર અંસારીએ કરાવી.
પૂર્વાંચલના કુખ્યાત ડોન મુન્ના બજરંગીની 9 જુલાઇએ બાગપત જેલમાં હત્યા બીજું કોઈ પણ પરંતુ મુખ્તાર અંસારીએ કરાવી. આ વાતનો દાવો મુખ્તારના પ્રતિદ્વંધી અશોક સિંહ ઘ્વારા કરવામાં આવ્યો છે. અશોક સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મુખ્તાર અંસારી એવા લોકોને મરાવી નાખે છે જેઓ તેના માટે કામ કરે છે.

અશોક સિંહ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મુન્ના બજરંગીની હત્યા તેના ગુરુ મુખ્તાર અંસારીએ કરાવી છે. તેમને કહ્યું કે મુન્ના બજરંગીની રાજનૈતિક ઈંચ્છા ઘણી વધી ગયી હતી. તે ગાઝીપુરથી લઈને બનારસ સુધી પૂર્વાંચલના ઠેકાઓમાં હસ્તક્ષેપ કરવા લાગ્યો હતો જેથી અંસારીની નાક નીચે મુન્નાની પહોંચ વધી રહી હતી. મુન્ના બજરંગી રાજનીતિમાં સક્રિય થવાને કારણે અંસારીની મુસીબત વધી હતી. અશોક સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે કૃષ્ણાનંદ રાય હત્યાકાંડમાં ગવાહી થવાની હતી. તેમને આશંકા જણાવી કે ગવાહી તેની વિરુદ્ધ ના આવે તેના ડરથી અંસારીએ આખી ઘટનાને અંઝામ આપ્યો.
અશોક સિંહ ઘ્વારા દાવો કરવામાં આવ્યો કે મુન્ના બજરંગીએ ડીપી યાદવના ભાઈ અને તેના સંબંધીની હત્યા કરી હતી. ડીપી યાદવ અને તેની પત્નીને મુખ્તાર અંસારીએ ગાઝીપુરથી ઈલેક્શન લડાવ્યા. તેમને કહ્યું કે જેલમાં હત્યાનો સિલસિલો કોઈ નવો નથી આ તે લોકો છે જેમને આ પરંપરાની શરૂઆત કરી હતી. અશોક સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ક્યારેક સુનિલ રાઠી અને મુખ્તારના શૂટર સંજીવ મહેશ્વરી સાથે રહેતા હતા અને સુનિલ રાઠી જાતે મુખ્તારનો શૂટર છે. એવી હાલતમાં મુખ્તારના માણસોની હત્યા મુખ્તારનો જ માણસ કરી શકે છે. બાગપત જેલમાં પણ આવું જ થયું છે.
આખરે કોણ છે અશોક સિંહ
અશોક સિંહ માઉ ઠેકેદાર અજય પ્રકાશ સિંહ ઉર્ફ મુન્ના સિંહના ભાઈ છે. મુન્નાની હત્યા 29 ઓગસ્ટ 2009 દરમિયાન કરાવવામાં આવી હતી. હત્યાનો આરોપ મુખ્તાર અંસારી પર લાગ્યો હતો. મુન્ના સિંહ પીડબ્લ્યુડી ઠેકેદાર હતા અને ક્યારેક મુખ્તાર અંસારીના નજીકના માનવામાં આવતા હતા. ભાઈ અશોક સિંહ અનુસાર મુન્નાના વધતા કામ અને મહત્વાકાંક્ષા જોતા તેને રસ્તાથી હટાવી દેવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
