ગત છ વર્ષમાં છત્તીસગઢમાં થયેલા મોટા નક્સલી હુમલા
રાયપુર, 26 મેઃ છત્તીસગઢ જગદલપુરમાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં અંદાજે 200 નક્સલીઓએ હુમલો કરી સલવા જુડૂમના સંસ્થાપક અને કોંગ્રેસી નેતા મહેન્દ્ર કર્મા અને પૂર્વ વિધાયક ઉદય મુદલિયાર સહિત 27 લોકોની હત્યા કરી દીધી. આ હુમલામાં પૂર્વ મંત્રી વિદ્યા ચરણ શુક્લને પણ ગોળીઓ લાગી છે, જેમને મેદાન્તા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત નાજૂક બનાવવામાં આવી છે.
આ હુમલાએ આખા દેશને વિચારવા માટે મજબૂર કરી દીધો છે કે ક્યારે રોકાશે આવી ઘટનાઓ અને ક્યારે ખતમ થશે નક્સલવાદ. જો મોટા હુમલાની વાત કરીએ તો દંતેવાડા નક્સલી હુમલા બાદ આ સૌથી મોટો હુમલો છે. આ હુમલામાં નક્સલીઓએ એક-એક કોંગ્રેસી નેતા અને કાર્યકર્તાઓ પર ચાલીસ-ચાલીસ ગોળીઓ ચલાવી. આ વારદાતને જોતા આગામી વિધાનસભા ચૂંટણી સુધી આવી અન્ય હુમલા થવાની આશંકા વધી ગઇ છે.
આ હુમલાને જોઇને મુખ્યમંત્રી રમણ સિંહે પોતાની વિકાસયાત્રા રોકી દીધી છે. હુમલા બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નંદ કુમાર પટેલ અને તેમના પુત્ર દિનેશ પટેલ લાપતા હતા, જેમના મૃતદેહ રવિવારે સવારે ઘટના સ્થળેથી થોડેક દૂર મળી આવ્યા. ઘટનાસ્થળેથી મૃતદેહો કાઢવાનું કામ જારી છે, તેથી મૃતકોની સંખ્યા વધી શકે છે. આ હુમલામાં ઘણા સુરક્ષાકર્મી પણ માર્યા ગયા છે.
હુમલા બાદ છત્તીસગઢ પોલીસે સીઆરપીએફની સાથે મળી નક્સલીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ મહાનિદેશક રામનિવાસે જણાવ્યું કે હજુ સુધી 37ની મોત અને 32 ઇજાગ્રસ્ત થયા છે. આ વિસ્તારમાં ભારે વરસાદ આવી રહ્યો છે, જેના કારણે શોધખોળ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
ગત છ વર્ષમાં થયેલા મોટા નક્સલી હુમલા

2007થી 2008
17 જુલાઇ 2007- અંદાજે 800 હથિયારબંધ નક્સલીઓએ દંતેવાડામાં હુમલો કર્યો. 25 મર્યા, 32 ઇજાગ્રસ્ત થયા અને 250 લોકો લાપતા છે.
માર્ચ 2008 - સાંસદ બલીરામ કશ્યમના કાફિલા પર હુમલો.માર્ચ 2008- વનમંત્રી વિક્રમ ઉસેન્ડીના કાફિલા પર હુમલો.

2009થી 2010
જુલાઇ 2009- રાજનંદગાંવમાં બારુદી સુરંગ વિસ્ફોટ, 28 મર્યા.
26 સપ્ટેમ્બર 2009
ભાજપ સાંસદ બલિરામ કશ્યપની જગદલપુરમાં હત્યા.
એપ્રિલ 2010
માઓવાદીઓએ 73 સીઆરપીએફ જવાનોની હત્યા કરી દીધી.

2010થી 2011
17 મે 2010
નક્સલી વિસ્ફોટમાં 14 વિશેષ પોલીસ અધિકારી સહિત 35 લોકો માર્યા ગયા.
ઓક્ટોબોર 2011
વિધાયક ડમરુઘર પુજારીના નિવાસ પર હુમલો.
જુલાઇ 2011
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નંદકુમાર પટેલના કાફિલા પર હુમલો.

2011થી 2012
ઓક્ટોબર 2011
બસ્તરમાં છ સુરક્ષાકર્મીઓની હત્યા.
જુલાઇ 2011
દંતેવાડામાં 10 પોલીસકર્મીઓની હત્યા
ઓગસ્ટ 2011
નક્સલી હુમલામાં 11 પોલીસકર્મી માર્યા ગયા
જાન્યુઆરી 2012
વિધાયક ભીમા મંડાવીના કાફિલા પર હુમલો

2012થી 2013
માર્ચ 2012
મહિલા બાળ વિકાસ મંત્રી લતા ઉસેંડીના બંગલા પર હુમલો
એપ્રિલ 2012
સંસદીય સચિવ મહેશ ગાગડાના કાફિલા પર હુમલો
નવેમ્બર 2012
પુર્વ નેતા પ્રતિપક્ષ મહેન્દ્ર કર્માના બુલેટપ્રુફ વાહન પર હુમલો
12 મે 2013
સુકમામાં દુરદર્શન કેન્દ્ર પર હુમલો. ચાર જવાન શહિદ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
