બિહાર: ફુલવરી શરીફમાં આતંકી મોડ્યુલ મામલે કાર્યવાહી ચાલુ, અલગ-અલગ જીલ્લાઓમાં છાપેમારી
ફુલવારી શરીફ આતંકી મોડ્યુલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફુલવારી શરીફ ટેરર મોડ્યુલ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે બિહારમાં ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા
ફુલવારી શરીફ આતંકી મોડ્યુલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીનું ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફુલવારી શરીફ ટેરર મોડ્યુલ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આજે બિહારમાં ઘણી જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા. NIAની ટીમે દરભંગા, અરરિયા, છપરા અને પટના જિલ્લામાં દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે, જુલાઈમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ આતંકી મોડ્યુલ કેસમાં બે લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. જ્યારે પ્રથમ એફઆઈઆર 26 શકમંદો સામે નોંધવામાં આવી છે, જ્યારે બીજી એફઆઈઆરમાં એકનું નામ છે.

ફુલવારી શરીફ વિસ્તારમાં ભેગા થયેલા કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ દ્વારા વડા પ્રધાનની સૂચિત મુલાકાતને વિક્ષેપિત કરવાની યોજનાના સંબંધમાં 11 જુલાઈના રોજ પ્રથમ FIR નોંધવામાં આવી હતી. બીજી તરફ બિહાર પોલીસ દ્વારા મરગુબ અહેમદ દાનિશ ઉર્ફે તાહિરની ધરપકડના સંબંધમાં બીજી એફઆઈઆર 14 જુલાઈએ દાખલ કરવામાં આવી હતી. બંને પર કથિત રીતે ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ફુલવારી શરીફમાં વિદ્રોહી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે જોડાયેલા કેસની તપાસ શરૂ કરી છે. આ સંદર્ભમાં, 28 જુલાઈ, ગુરુવારે, NIAએ બિહારના કેટલાક જિલ્લાઓમાં દરોડા પાડ્યા હતા. તેને જોતા NIAની ટીમે દરભંગાના શંકરપુર ગામમાં પણ દરોડા પાડ્યા હતા. તમને જણાવી દઈએ કે 25 જુલાઈના રોજ NIAએ ફુલવારી શરીફ આતંકવાદી કેસને પોતાના કબજામાં લીધો હતો અને કેસ સાથે જોડાયેલા તમામ દસ્તાવેજો પણ લીધા હતા. 28 જુલાઈના રોજ NIAની ટીમે PFIના પેટ્રન અથર પરવેઝના પટના સ્થિત નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે પટના પોલીસ અતહરની ધરપકડ કરી ચૂકી છે.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
