Bihar Assembly Election 2025: બિહારમાં કુલ કેટલા મુસ્લિમ મતદારો? જાણો કઈ પાર્ટીને ફાયદો?
Bihar Assembly Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025ની તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. 6 નવેમ્બરથી આ ચૂંટણીનો પ્રારંભ થશે. બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે.
બિહારના રાજકારણમાં હંમેશા જાતિગત સમીકરણો નિર્ણાયક ભૂમિકા ભજવે છે, અને આ વખતે પણ સત્તાનો માર્ગ આ સમીકરણો દ્વારા જ નક્કી થવાનો છે.

ચૂંટણી પહેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર, આરજેડીના નેતા તેજસ્વી યાદવ અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર સહિત તમામ નેતાઓ મતદારોને આકર્ષવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે.
બિહારના મતદારોની સંખ્યા
- અતિ-પછાત વર્ગ (EBC) : 36.1%
- પછાત વર્ગ (OBC) : 27.13%
- દલિત મતદારો (SC) : 19.65%
- સામાન્ય વર્ગ (General Category) : 15.38%
- આદિવાસી સમાજ (ST) : 1.68
આ આંકડાઓ દર્શાવે છે કે EBC અને OBC મળીને બિહારના કુલ મતદારોના મોટા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે.
સામાન્ય વર્ગના 15.38% મતદારો સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)નો ગઢ માનવામાં આવે છે. આમાં બ્રાહ્મણ (3.65%), ભૂમિહાર (2.87%), રાજપૂત (3.45%) અને બનિયા જેવી જાતિઓનો સમાવેશ થાય છે.
ભાજપ આ વખતે નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) સાથે મળીને ચૂંટણી લડી રહી છે. NDA ગઠબંધનને આ ઉચ્ચ જાતિના વોટબેંકનો સીધો લાભ મળવાની શક્યતા છે.
બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળ (RJD) હંમેશા યાદવ-મુસ્લિમ (M-Y) સમીકરણ પર આધાર રાખે છે. બિહારમાં યાદવ મતદારો 14% છે અને મુસ્લિમ મતદારો 17% છે. જો આ બંને વોટબેંકનો સરવાળો કરવામાં આવે તો તે ખૂબ મોટો આંકડો બને છે. આરજેડી આ મોટા સમીકરણ ઉપરાંત, પ્રાદેશિક ઉમેદવારના આધારે અન્ય કેટલીક નાની જાતિઓનો સાથ મેળવવાનો પ્રયાસ કરશે. મુસ્લિમ વોટર્સનો ઝુકાવ આ ચૂંટણીમાં કોની તરફ રહે છે, તે મુખ્ય પરિણામ નક્કી કરશે.
બિહારમાં 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે, અને 14 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.












Click it and Unblock the Notifications
