For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જેડીયુ છાત્ર નેતા રાકેશ કુમારની હત્યા, 4 દિવસ પછી લાશ મળી

બિહારના જેડીયુ છાત્ર નેતા રાકેશ કુમારની લાશ પોલીસને મળી આવી છે. છેલ્લા 4 દિવસથી લાપતા જેડીયુ છાત્ર નેતા રાકેશ કુમારનું શવ અલીપુર ગામમાં મળી આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બિહારના જેડીયુ છાત્ર નેતા રાકેશ કુમારની લાશ પોલીસને મળી આવી છે. છેલ્લા 4 દિવસથી લાપતા જેડીયુ છાત્ર નેતા રાકેશ કુમારનું શવ અલીપુર ગામમાં મળી આવ્યું છે. જેડીયુ છાત્ર સંગઠન મહાસચિવ રાકેશ કુમારની લાશ અલીપુર ગામના એક ખેતરમાં મળી આવી, જ્યાં હત્યા કરીને તેની લાશ દાટવામાં આવી હતી.

bihar

4 દિવસથી રાકેશ શર્માની કોઈ જ ખબર ના હતી. 29 મેં દરમિયાન તે પોતાના ઘરેથી બેંકમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. ત્યારપછી તે ઘરે આવ્યો. ઘરે આવ્યા પછી મનીષ દિવાકર નામનો એક વ્યક્તિ પોતાના બે સાથીઓ સાથે આવ્યો અને રાકેશ તેમની સાથે જ ચાલ્યો ગયો. છેલ્લીવાર રાકેશને ડીહરા ગામમાં જોવામાં આવ્યો હતો. ત્યારપછી રાકેશની કોઈ જ ખબર નથી મળી. રાકેશના પરિવારે તેના ત્રણ મિત્રો સામે ફરિયાદ નોંધાવી અને તેમના પર રાકેશનું અપહરણ કરવાનો મામલો પણ નોંધાવ્યો.

ચાર દિવસ પછી રાકેશનું શવ અલીપુર વિસ્તારમાં મળી આવ્યું. તેની હત્યા કર્યા પછી તેની લાશ ખેતરમાં દાટી દેવામાં આવી. પરિવારે રાકેશના ત્રણ મિત્રો પર આરોપ લગાવ્યો છે કે તેમને જ રાકેશ ને મારીને તેની લાશ દાટી દીધી છે. જયારે છાત્ર નેતા રાકેશ કુમારની હત્યા પછી સ્થાનીય લોકોમાં ગુસ્સો પણ છે.

English summary
Bihar: Body of JD(U) student leader Rakesh Kumar's found in Harnaut's Alipur village.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X