Bihar Bridge Collapse: બિહારમાં ધડાધડ તૂટી રહ્યા છે પુલ, 17 દિવસમાં 12 બ્રીજ ધરાશાયી
Bihar Bridge Collapse News: બિહારમાં ચોમાસાના આગમનની સાથે જ એક પછી એક પુલ તૂટી રહ્યા છે. બિહારમાં છેલ્લા 17 દિવસમાં ઓછામાં ઓછા 12 પુલ ધરાશાયી થયા છે. જેના કારણે નીતિશ કુમારની આગેવાનીવાળી સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા અને જાળવણીને લઈને વિપક્ષની આકરી ટીકાનો સામનો કરી રહી છે.
સિવાન, સારણ, મધુબની, અરરિયા, પૂર્વ ચંપારણ અને કિશનગંજ જિલ્લામાંથી પુલ તૂટી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. બિહારમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ આ ઘટનાઓ માટે ચોમાસાની શરૂઆત અને ત્યારબાદ ભારે વરસાદને જવાબદાર ગણાવ્યો છે.

માંઝીએ કહ્યું, "આ ચોમાસાનો સમય છે. ત્યાં અસાધારણ વરસાદ થયો છે, જેના કારણે પુલ તૂટી રહ્યા છે." જીતન રામ માંઝીએ કહ્યું, "પરંતુ, રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર તપાસ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. તેમણે ગઈકાલે એક બેઠક યોજી હતી અને કડક સૂચના આપી હતી કે કોઈપણ પ્રકારની બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે."
નીતિશ કુમારે માર્ગ બાંધકામ વિભાગ (RCD) અને ગ્રામીણ બાંધકામ વિભાગ (RWD) ને રાજ્યના તમામ જૂના પુલોનું તાત્કાલિક સર્વેક્ષણ કરવા અને તે પુલોને ઓળખવા માટે નિર્દેશ આપ્યો કે જેને તાત્કાલિક સમારકામની જરૂર છે.
જળ સંસાધન વિભાગના અધિક મુખ્ય સચિવે પુલ તૂટી પડવાની ઘટનાઓ માટે જવાબદાર તરીકે તાજેતરના ડિસિલ્ટીંગના પ્રયાસોમાં સામેલ એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરોની સંભવિત ભૂલોને ઓળખી કાઢ્યા છે. "આમાંના મોટાભાગના પુલ 30 વર્ષ જૂના હતા અને છીછરા પાયા ધરાવતા હતા. આ પાયા ડિસિલ્ટિંગ દરમિયાન નાશ પામ્યા હતા. પ્રાથમિક દૃષ્ટિએ સંબંધિત એન્જિનિયરોની ભૂલ હોવાનું જણાય છે તેમ અધિકારીએ જણાવ્યું હતું.
પુલ તૂટી પડવાના કારણોની ચર્ચા કરીએ તો તેની પાછળ ઘણા કારણો છે. જેમાં ડિઝાઈન, બ્રિજ બનાવવામાં નબળું મટિરિયલ વપરાવું, બેદરકારી, બ્રિજનું સમયસર ઓડિટ ન થવું વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય ક્યારેક કુદરતી આફત કે ગંભીર પૂર જેવી પરિસ્થિતિમાં પણ પુલ તૂટી પડે છે.
રિપોર્ટ અનુસાર, પુલ પડવાની 80 ટકા ઘટનાઓ કુદરતી આફતોને કારણે થાય છે. તે જ સમયે, બાંધકામમાં ઉપયોગમાં લેવાતા નબળા મટિરિયલને કારણે 10 ટકા પુલ તૂટી પડવાના બનાવો બને છે. જ્યારે 3.28 ટકા બ્રિજ ઓવરલોડિંગ અને 2.19 ટકા માનવ સર્જિત આફતોને કારણે છે.
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
