Bihar By Election 2021 : પ્રથમ વાર એક સાથે પ્રચાર કરશે કન્હૈયા કુમાર, જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ
બિહાર વિધાનસભાની બે બેઠકો માટે પેટા ચૂંટણી (Bihar By Election 2021) માં કોંગ્રેસે સંપૂર્ણ તાકાતથી પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી છે. આરજેડી સાથે બગડતા સંબંધો વચ્ચે કોંગ્રેસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.
Bihar By Election 2021 : બિહાર વિધાનસભાની બે બેઠકો માટે પેટા ચૂંટણી (Bihar By Election 2021) માં કોંગ્રેસે સંપૂર્ણ તાકાતથી પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી છે. આરજેડી સાથે બગડતા સંબંધો વચ્ચે કોંગ્રેસ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. કોંગ્રેસની યુવા બ્રિગેડના મહત્વના ચહેરાઓ કન્હૈયા કુમાર, જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ શુક્રવારના રોજ પ્રથમ વખત બિહારમાં ચૂંટણી પ્રચાર કરવા માટે એક સાથે આવી રહ્યા છે.
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ અને CPI નેતા કન્હૈયા કુમાર, જેમણે ભાજપ અને કેન્દ્ર સરકારને અનેક મોરચે ઘેરી લીધા હતા તેઓ 28 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસમાં જોડાયા છે. કન્હૈયા ઉપરાંત ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ કોંગ્રેસને જાહેરમાં સમર્થન કર્યું છે. કન્હૈયા કુમાર કોંગ્રેસી બને તે પહેલા જ નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર મોટા બેનરો લાવવામાં આવ્યા હતા. બંને યુવા નેતાઓ નવી દિલ્હીમાં કાર્યાલયમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.

જે પોસ્ટર્સ સામે આવ્યા છે, તેમાં રાહુલ ગાંધી અને કન્હૈયા કુમારને સાથે બતાવવામાં આવ્યા છે. આવા સમયે બેનર પર લખવામાં આવ્યું છે, કન્હૈયા કુમારનું કોંગ્રેસ પાર્ટીમાં આગમન પર હાર્દિક સ્વાગત છે. પાર્ટીમાં જોડાતા પહેલા કોંગ્રેસ કાર્યાલયની સામે આ પોસ્ટરો પરથી નક્કી કરવામાં આવ્યું હતું કે, કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ કોંગ્રેસી બન્યા હતા. મંગળવારની બપોરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શહીદ એ આઝમ ભગતસિંહ પાર્ક પહોંચ્યા હતા, તે દરમિયાન તેમની સાથે CPI નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ હતા.
કોંગ્રેસ આના દ્વારા પાર્ટી છોડવાના યુવા નેતાઓની ધારણાને બદલવાનો પ્રયાસ કરી રહી છે. જે કારણે JNU વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર હજૂ પણ તેમના ઈરાદાને લઈને તેમના પક્ષના નેતાઓને ફેરવવામાં વ્યસ્ત છે. હવે આવી માહિતી આવી છે કે, તેમણે પાર્ટીમાં રહેવા માટે અમુક હોદ્દાની માંગણી કરી છે. એક અહેવાલ મુજબ, કોંગ્રેસમાં જોડાવાની "અટકળો" દૂર કરવા માટે કન્હૈયા કુમાર 28 સપ્ટેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર અજોય ભવનમાં આવવાના હતા. CPIના એક નેતાએ કહ્યું કે, તેમને આવું કરવા માટે સૂચના આપવામાં આવી હતી, પરંતુ કન્હૈયાના સહાયકો તેની રાહ જોતા રહ્યા હતા.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન








Click it and Unblock the Notifications
