Bihar election 2025 : જન સુરાજના ઉમેદવારોને ધમકાવાઈ રહ્યાનો પ્રશાંત કિશોરનો આરોપ
Bihar election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી 2025 ના પ્રથમ ચરણના મતદાન પહેલા જ જન સુરાજ (Jan Suraaj) ના સંસ્થાપક પ્રશાંત કિશોર (Prashant Kishor - PK) એ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભારતીય જનતા પાર્ટી (BJP) ના કેન્દ્રીય નેતૃત્વ પર સીધો અને ગંભીર પ્રહાર કર્યો છે.
PK એ આક્ષેપ કર્યો છે કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) એ પોતાના રાજકીય પ્રભાવનો દુરુપયોગ કરીને જન સુરાજના ઉમેદવારોને ધમકાવ્યા, દબાણ કર્યું અને તેમનું નામાંકન (નોમિનેશન) પાછું ખેંચાવવાનું ષડયંત્ર રચ્યું છે.

પ્રશાંત કિશોરે દાવો કર્યો કે ભાજપ હવે જન સુરાજથી ડરી રહી છે, કારણ કે બિહારની જનતાને બાહુબલીઓ અને પરંપરાગત નેતાઓ સિવાય એક નવો અને સ્વચ્છ વિકલ્પ દેખાઈ રહ્યો છે.
તેમણે આરોપ મૂક્યો કે હવે ભાજપ લોકતંત્રની મર્યાદાઓ તોડી રહી છે, જ્યાં પાર્ટીના નેતાઓ નહીં પણ ખુદ કેન્દ્રીય મંત્રી વિપક્ષી ઉમેદવારોના ઘરે જઈને તેમને ધમકાવવામાં વ્યસ્ત છે.
પ્રશાંત કિશોરે માહિતી આપી કે જન સુરાજના કુલ 14 ઉમેદવારોને ધમકાવવામાં આવ્યા છે, જેમાંથી ત્રણ ઉમેદવારો દબાણ સામે ઝૂકી ગયા અને નામાંકન પાછું ખેંચી લીધું, જ્યારે બાકીના 240 ઉમેદવારો હજુ પણ મજબૂતીથી મેદાનમાં ટકેલા છે.
તેમણે કુમ્હરાર અને વાલ્મીકિનગરના ઉમેદવારોના ઉદાહરણો આપીને કહ્યું કે તેમના પર પણ વહીવટી તંત્ર અને સત્તા પક્ષનું દબાણ છે.
PK એ ચૂંટણી પંચને સીધો સવાલ કર્યો કે,. જો તમે એક ઉમેદવારની સુરક્ષા ન કરી શકો, તો તમે મતદારને કેવી રીતે સુરક્ષા આપશો? તેમણે ચેતવણી આપી કે આ લોકતંત્ર માટે ખતરાની ઘંટી છે, કારણ કે ભાજપને હવે બાહુબલીઓ કે મહાગઠબંધનથી નહીં, પરંતુ સારા, ઈમાનદાર ડૉક્ટરો અને પ્રોફેસરોથી ડર લાગી રહ્યો છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
