બિહાર મિડ ડે મીલ ઘટનાની તપાસ SITને સોંપવામાં આવી
પટના, 23 જુલાઇ : બિહારના સારણ જિલ્લાના ધર્મસતી ગંડામન ગામના એક સરકારી વિદ્યાલયમાં મધ્યાહન ભોજન કરવાથી 23 બાળકોના મોતની ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT - સીટ)ની રચના કરવામાં આવી છે. સારણના પોલીસ અધિક્ષક સુજીત કુમારના નેતૃત્વમાં આ તપાસ દળમાં આઠ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય પોલીસ મુખ્યાલયના એક અધિકારીએ મંગળવારે જણાવ્યું કે સીટ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અપરાધિક તપાસ વિભાગ (સીઆઇડી)ના પોલીસ મહાનિર્દેશક વિનય કુમાર એસઆઇટીના કાર્યનું નિરીક્ષણ કરશે. જ્યારે વિશેષ કાર્ય દળને દોષિતોની ધરપકડ કરવામાં સહયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ કેસમાં ગામના નિવાસી અખિલાનંદ મિશ્રાએ મશરક પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવી છે. જેમાં મુખ્ય અધ્યાપિકા મીના દેવી અને અન્યોને આરોપી બનાવવામાં આવ્યા છે. ફરાર મીના દેવી સામે છપરાની અદાલતે ઘરપકડ વોરન્ટ બહાર પાડ્યું છે.