Bihar Survey 2025 : બિહારના મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ કોણ? નીતિશ કુમારના કેટલા ચાન્સ?
Bihar Survey 2025 : બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી 2025 માટેનો માહોલ ગરમાયો છે. ભલે હજુ સુધી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી પરંતુ રાજકીય પક્ષોએ પ્રચાર વેગવંતો બનાવ્યો છે.
તાજેતરના એક સર્વેના પરિણામો બિહારની રાજનીતિમાં નવા સમીકરણો તરફ ઈશારો કરે છે. આ સર્વે અનુસાર, મુખ્યમંત્રી પદ માટે તેજસ્વી યાદવ લોકોની પહેલી પસંદ બની રહ્યા છે, જ્યારે પ્રશાંત કિશોર (પીકે) માટે આ પરિણામો ચિંતાજનક છે.

લેટેસ્ટ સર્વેના ચૌકાવનારા તારણો
- સર્વેમાં સામેલ 33.5% લોકોએ મુખ્યમંત્રી તરીકે તેજસ્વી યાદવને પસંદ કર્યા છે.
- નીતિશ કુમાર 24% સમર્થન સાથે બીજા ક્રમે છે.
- પ્રશાંત કિશોર 13.7% લોકોની પસંદગી સાથે ત્રીજા સ્થાને છે.
- ચિરાગ પાસવાનને 8.3% લોકોએ મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા છે.
આ સર્વે 3 થી 10 સપ્ટેમ્બર દરમિયાન શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યો હતો. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, પ્રશાંત કિશોર ભલે જન સુરાજ પદયાત્રા દ્વારા પરિવર્તનનો દાવો કરી રહ્યા હોય, પરંતુ બિહારની જનતા હજુ પણ તેમને મજબૂત અને વિશ્વસનીય વિકલ્પ માનતી નથી.
બીજી તરફ જેડીયુ માટે આ એક રાહતના સમાચાર છે, કારણ કે નીતિશ કુમાર હજુ પણ લોકોમાં સારી લોકપ્રિયતા ધરાવે છે. આ સર્વે ભવિષ્યના રાજકીય પરિણામોનો માત્ર એક સંકેત છે.
ચૂંટણીની તારીખ જેમ-જેમ નજીક આવશે, તેમ-તેમ આ પરિણામોમાં ફેરફાર પણ જોવા મળી શકે છે. જો કે, હાલના તબક્કે તેજસ્વી યાદવ અને નીતિશ કુમારની લોકપ્રિયતા પ્રશાંત કિશોર કરતા ઘણી વધારે છે.












Click it and Unblock the Notifications
