Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

NDAને સમર્થનની અમારી કોઇ યોજના નથી: નવીન પટનાયક

નવી દિલ્હી, 14 મે: બીજૂ જનતા દળના અધ્યક્ષ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે તેમણે આગામી કેન્દ્ર સરકારને સમર્થન પર કોઇ ફેંસલો લીધો નથી. તેમણે પાર્ટી નેતા પ્રવાત ત્રિપાઠીના તે નિવેદનને નકારી કાઢ્યું જેમાં તેમણે એનડીએ સરકારને સશર્ત સમર્થનના સંકેત આપ્યા છે.

નવીન પટનાયકે કહ્યું 'મેં તમને જણાવી દિધું કે અમે આ અંગે કોઇ ફેંસલો કર્યો નથી. એનડીએના સમર્થનના મુદ્દે કોઇ ચર્ચા થઇ નથી.' આ પહેલાં બીજેડીના ચીફ વ્હિપ પ્રવાત ત્રિપાઠીએ એક ન્યુઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું, 'દેશના જનમત અને રાજ્યના હિતને ધ્યાનમાં રાખતાં કેન્દ્રમાં એનડીએની સરકારને સશર્ત સમર્થન આપવામં કોઇ સમસ્યા નથી.' ઓડિશાના આ પ્રમુખ પક્ષની પાસે હાલ 14 સાંસદ છે અને આ વખતે તેને સારા પ્રદર્શનની આશા છે.

બીજેડી સાંસદ જય પાંડાએ કહ્યું કે નવીન પટનાયક ભાજપા અને કોંગ્રેસ સાથે અંતર બનાવી રાખવામાં અડિગ છે, જો કે પાર્ટીમાં આગામી સરકારને સમર્થનની માંગ ઉઠાવવામાં આવી રહી છે.

navin-patnaik

પુરીથી હાલના બીજેડી સાંસ પિનાકી મિશ્રાએ કહ્યું કે એનડીએને સ્પષ્ટ બહુમત નહી મળે અને એક્ઝિટ પોલ પહેલાં પણ ખોટા સાબિત થતા રહ્યાં છે. તેમણે દાવો કર્યો કે બીજેડીને પ્રદેશમાં 16-17 અને ભાજપને એક સીટ મળશે. તેમણે કહ્યું, 'નવીન બાબૂ (પટનાયકે) કહ્યું છે કે અમે ભાજપ અને કોંગ્રેસ બંનેથી દૂર રહીશું. સમર્થન વિશે હું જાણતો નથી પરંતુ કેન્દ્ર સરકારના સહયોગની જરૂરિયાત તો પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X