સાંપ્રદાયિક હિંસા માટે BJP-RSS જવાબદાર, વિપક્ષનો અવાજ પણ દબાવવામાં આવી રહ્યો છે - સોનિયા ગાંધી
સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ માટે કોંગ્રેસ પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારને જવાબદાર ગણાવ્યા છે.
નવી દિલ્લીઃ રામનવમીના તહેવાર પર અને પછીથી દેશના ઘણા રાજ્યોમાં થયેલી સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ માટે કોંગ્રેસ પાર્ટીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારને જવાબદાર ગણાવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદી અને આરએસએસ પર હુમલો કરીને કહ્યુ છે કે આજે દેશમાં નફરત, કટ્ટરતા, અસહિષ્ણુતા અને જૂઠની બોલબાલા જોવા મળી રહી છે. સોનિયા ગાંધીએ કહ્યુ છે કે આ સરકાર અને આરએસએસ મળીને દેશમાં જે નફરત ફેલાવી રહ્યા છે તે આ દેશને બરબાદ કરી દેશે.

ઈંડિયન એક્સપ્રેસમાં છપાયેલા એક આર્ટિકલ દ્વારા સોનિયા ગાંધીએ કહ્યુ છે કે આ દેશમાં જે સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ થઈ રહી છે તેના માટે સત્તારુઢ ભાજપની સરકાર અને આરએસએસ જવાબદાર છે. સોનિયા ગાંધીના આ આર્ટિકલનુ શીર્ષક છે 'નફરતના વાયરસ.'
શું લખ્યુ છે સોનિયા ગાંધીએ આર્ટિકલમાં?
સોનિયા ગાંધીએ લખ્યુ છે - 'ભારતની વિવિધતાઓનો સ્વીકાર કરવાની વાત કરનાર પ્રધાનમંત્રી આજે હિંસાને રોકવામાં નિષ્ફળ છે. આજે આ કઠોર વાસ્તવિકતા બની ચૂકી છે કે સદીઓથી જે વિવિધતાઓ આપણા સમાજને પરિભાષિત કરતી આવી રહી છે, તેમાં હવે બદલાવ કરવામાં આવી રહ્યા છે અને આપણને વહેંચવાની કોશિશ કરવામાં આવી રહી છે.'
સોનિયા ગાંધીએ આ દરમિયાન સત્તા પક્ષ પર વિપક્ષી દળોના અવાજને દબાવવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યુ છે કે આ સ્થિતિ દેશમાં ઉન્માદ પેદા કરી શકે છે. સોનિયા ગાંધીએ કહ્યુ કે ભારતને સ્થાયી ઉન્માદની સ્થિતિમાં રાખવાની આ વિભાજનકારી યોજનામાં કંઈક બીજુ પણ ઘાતક છે. સત્તામાં બેઠેલા લોકોની વિચારધારાના વિરોધમાં બધા અસંમતિવાળા મંતવ્યને બેરહેમીથી દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ મોદી સરકાર પર હુમલો કરીને કહ્યુ કે દરેક દેશવાસી ભાજપ અને આરએસએસ દ્વારા ફેલાવવામાં આવી રહેલી નફરતની કિંમત ચૂકવી રહ્યો છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં કહ્યુ છે, 'ભારતની સાચી સંસ્કૃતિ સંયુક્ત ઉત્સવ, સમુદાય અને એકજૂટ રહેવાની છે. આવો આને બચાવવાનો સંકલ્પ લઈએ.'
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
