ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે ફોન પર સિદ્ધુની નારાજગી પૂછી

વાસ્તવમાં છેલ્લી 3 ટર્મથી ભાજપમાં અમૃતસર સંસદીય બેઠક પરથી પ્રતિનિધિત્વ કરી રહેલા નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોત કોરે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સિદ્ધુ પાર્ટીમાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. નવજોત કૌરે એક સમાચાર એજન્સીને એમ પણ જણાવ્યું હતું કે "મારા પતિ અમૃતસરથી ચૂંટણી નહીં લડે. આ સંદર્ભમાં તેમણે ઘણા સમય પહેલા જ નિર્ણય કરી લીધો હતો. ભાજપે અગાઉ તેમની અને તેમની સ્થાનિક ટીમની અવગણના કરી હતી. આ ટીમ છેલ્લા એક દાયકા કરતા વધારે સમયથી આ સંસદીય મત વિસ્તારમાં કામ કરી રહી છે."
આ પહેલા ગુરુવારે કૌરે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર એમ લખીને વિવાદ ઉભો કર્યો હતો કે તેમના પતિ (નવજોતસિંહ સિદ્ધુ) એવું અનુભવી રહ્યા છે કે તેમને પાર્ટીમાં હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. પાર્ટીમાં સતત તેમની અવગણના કરવામાં આવી રહી છે. અમૃતસર પૂર્વના ભાજપા સાંસદ નવજોત કૌરે જણાવ્યું કે ગઇકાલે હું દિલ્હીમાં સિદ્ધુની સાથે જ હતી. મેં તેમને એ પણ જણાવ્યું હતું કે ફેસબુક પર મેં શું લખ્યું છે. આ સાંભળીને તેમણે જણાવ્યું કે તેમને હવે રાજકારણ પસંદ નથી. કારણ કે તેમને તેમની જ પાર્ટીના નેતાઓ તરફથી યોગ્ય સન્માન મળી રહ્યું નથી. મારા પતિએ મને જણાવ્યું કે તેઓ હવે રાજકારણમાં પોતાનું મગજ દોડાવવા માંગતા નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
