ગોડસેના ગુણગાન બદલ સાધ્વી પ્રજ્ઞા, અનંત કુમાર, નલિન કટીલને ભાજપે મોકલી નોટિસ
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, અનંતકુમાર હેગડે અને નલિન કટીલે આપેલા વિવાદિત નિવેદન પર ભાજપે અનુશાસનાત્મક નોટિસ મોકલી છે
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, અનંતકુમાર હેગડે અને નલિન કટીલે આપેલા વિવાદિત નિવેદન પર ભાજપ અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે પાર્ટીએ તેમના નિવેદનોને ગંભીરતાથી લીધા છે અને આ નિવેદનોને અનુશાસનાત્મક સમિતિને મોકલી દેવામાં આવ્યો છે. આ સમિતિ ત્રણે નેતાઓ પાસેથી સ્પષ્ટીકરણ માંગશે અને 10 દિવસની અંદર પાર્ટીને રિપોર્ટ સોંપશે.

તમને જણાવી દઈએ કે ભોપાલ લોકસભા સીટથી ભાજપ ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ કે મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી દીધા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કહ્યુ હતુ કે તે દેશભક્ત હતા, દેશભક્ત છે અને દેશભક્ત રહેશે. બીજી તરફ ભાજપના નેતા અને સાંસદ નલિન કુમાર કટીલે રાજીવ ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે દેશના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની તુલના ગોડસે અને કસાબ સાથે કરી છે. તેમણે રાજીવ ગાંધીને 'સૌથી ક્રૂર' ગણાવીને કહ્યુ કે તેમણે 17000 લોકોને માર્યા. કટીલ કર્ણાટકથી ભાજપના સાંસદ છે. વર્તમાન લોકસભા ચૂંટણીમાં તે દક્ષિણ કન્નડથી ચૂંટણી લડી રહ્યા છે.
BJP President Amit Shah: The disciplinary committee will seek explanation from all the three leaders and will submit the report to the party within 10 days https://t.co/oQ8FyQsgSq
— ANI (@ANI) 17 May 2019
ભાજપ સાંસદ નલિન કુમાર કટીને ટ્વીટ કરીને કહ્યુ કે ગોડસેએ એકને માર્યા, કસાબે 72ને માર્યા પરંતુ રાજીવ ગાંધીએ 17 હજારને માર્યા. હવે તને પોતે નક્કી કરો કે કોણ વધારે ક્રૂર છે. રાજીવ ગાંધીની હત્યાના 30 વર્ષો બાદ ભાજપના ચૂંટણી પ્રચારમાં તે પાર્ટીના નિશાના પર છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા વર્ષ 1984માં તેમના સિખ બૉડીગાર્ડે કરી હતી. ત્યારબાદના હુલ્લડોમાં 3000 સિખો માર્યા ગયા હતા.
-
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ







Click it and Unblock the Notifications
