આસામ CM હિમંતા બિસ્વા સરમાંએ કહ્યુ, 'ભાજપને 10 વર્ષ સુધી 'મિયાં' લોકોના મતોની જરુર નથી, તેમને પીએમ મોદીના...'
Assam Chief Minister Himanta Biswa Sarma: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે કહ્યું હતું કે, 'ભાજપને આગામી 10 વર્ષ સુધી 'ચાર' (નદીના રેતીલા) અને 'મિયાં' લોકોના મતની જરૂર નથી, જ્યાં સુધી તેઓ બાળ લગ્ન જેવી પ્રથા છોડીને પોતાનામાં સુધારો ના લાવે. '
સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે 'મિયાં લોકો તેમને અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સમર્થન આપે છે અને તેઓ તેમને મત આપ્યા વિના ભગવા બ્રિગેડની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખી શકે છે.' તમને જણાવી દઈએ કે 'મિયાં' શબ્દ બંગાળી ભાષી મુસ્લિમો માટે વપરાતો શબ્દ છે.

સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, "ભાજપ લોક કલ્યાણ કરશે અને તે અમને સમર્થન આપશે, પરંતુ તેમને અમને મત આપવાની જરૂર નથી. અમને સમર્થન કરવામાં કોઈ નુકસાન નથી. તેમનેહિમંતા બિસ્વા સરમા, નરેન્દ્ર મોદી અને ભાજપ માટે 'ઝિંદાબાદ'ના નારા લગાવવા દો."
સીએમ હિમંતા બિસ્વા સરમાએ કહ્યું, "જ્યારે ચૂંટણી આવશે, ત્યારે હું જાતે જ તેમને વિનંતી કરીશ કે અમને મત ન આપો. જ્યારે તમે કુટુંબ નિયોજનને અનુસરશો, બાળ લગ્ન બંધ કરશો અને કટ્ટરવાદને છોડી દેશો, ત્યારે જ તમે અમને મત આપશો. આને પૂર્ણ કરવા માટે તમને 10 વર્ષ લાગશે. અમે અમે અત્યારે નહીં, 10 વર્ષ પછી તેમની પાસેથી વોટ માંગીશું."
તેમણે કહ્યું કે જેઓ તેમની તરફેણમાં અને ભાજપની તરફેણમાં મતદાન કરે છે તેમને બે કે ત્રણથી વધુ બાળકો ન હોવા જોઈએ, તેમની પુત્રીઓને શાળાએ મોકલવી જોઈએ, બાળ લગ્ન ન કરવા જોઈએ અને કટ્ટરવાદ છોડીને સૂફીવાદ અપનાવવો જોઈએ. સીએમ હિમંતા બિસ્વા સરમાએ પત્રકારોને કહ્યું, "જ્યારે આ શરતો પૂરી થઈ જશે, ત્યારે હું તમારી સાથે 'ચાર' જઈશ અને મત માંગીશ."
જ્યારે સીએમ હિમંતા બિસ્વા સરમાને કહેવામાં આવ્યું કે 'ચાર', જ્યાં મુખ્યત્વે બંગાળી ભાષી મુસ્લિમો રહે છે, ત્યાં યોગ્ય શાળાઓ નથી, ત્યારે તેમણે કહ્યું કે જો તેમને આવા વિસ્તારોમાં શાળાઓની ગેરહાજરી વિશે જાણ કરવામાં આવશે તો તરત જ શાળાઓની સ્થાપના કરવામાં આવશે. સીએમ સરમાએ કહ્યું, "એવું ન હોઈ શકે કે લઘુમતી વિદ્યાર્થીઓને ભણવાની તક ન મળે. અમે આગામી દિવસોમાં લઘુમતી વિસ્તારોમાં સાત કોલેજો ખોલીશું."
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
