કેરળમાં ભાજપની હડતાળ, પ્રદેશ બંધનું આહ્વાન
કેરળમાં ભાજપની હડતાળ, પ્રદેશ બંધનું આહ્વાન
નવી દિલ્હીઃ કેરળમાં જેવી રીતે ભાજપ પ્રદર્શન સ્થળ પાસે 55 વર્ષીય વ્યક્તિએ આપઘાત કરી લીધો તે બાદ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં હડતાળનું આહ્વાન કર્યું છે. ભાજપે દાવો કર્યો છે કે વ્યક્તિએ એ કારણે અગ્નીસ્નાન કર્યું કેમ કે કેરળની સરકાર સબરીમાલા મંદિરની આજુબાજુમાં નિષેધાજ્ઞા હટાવવા માટે તૈયાર નથી. જ્યારે પોલીસનું કહેવું છે કે વ્યક્તિએ સબરીમાલા મુદ્દાને કારણે નહિ બલકે આવસાદને કારણે આપઘાત કર્યો હતો.
હડતાલને કારણે સબરીમાલા શ્રદ્ધાળુઓને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલી પડી શકે છે. હડતાળને કારણે રસ્તા પર માત્ર પ્રાઈવેટ બસ જ જોવા મળી રહી છે, જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ ઠપ થઈ ગયું છે. પલક્કડ ડિપો બહાર કેએસઆટીસીની બસને પ્રદર્શનકારીઓએ આગના હવાલે કરી દીધી છે. દેવાસ્વો મંત્રી કડકમપલ્લી સરેન્દ્રને હડતાળને લઈ ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા કહ્યું કે ભાજપ પોલીસને ભડકાવવાની કોશિશ કરી રહ્યું છે.
આ પણ વાંચો- કમલનાથ બન્યા મધ્ય પ્રદેશના નવા મુખ્યમંત્રી, કોઈ નહિ બને ઉપ મુખ્યમંત્રી