બીજેપીએ આજસુધી કાશ્મીરી પંડીતો માટે કશું નથી કર્યું, ફક્ત વોટબેંક સમજે છે: ફારૂખ અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની પુનઃસ્થાપના માટે ભાજપ અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. હવે તેમણે કાશ્મીર પંડિતોના મુદ્દા પર ભાજપ પર પ્રહારો કર્યા. અબ્દુલ્લાના કહેવા પ્રમાણે,
નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની પુનઃસ્થાપના માટે ભાજપ અને કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. હવે તેમણે કાશ્મીર પંડિતોના મુદ્દા પર ભાજપ પર પ્રહારો કર્યા. અબ્દુલ્લાના કહેવા પ્રમાણે, ભાજપ ખીણમાં નફરત ફેલાવીને જીતવા માંગે છે, પરંતુ તેનાથી દુશ્મનોને જ ફાયદો થશે. તેમના મતે, ભાજપ એકમાત્ર એવો પક્ષ છે જે નથી ઈચ્છતી કે મહિલાઓ આગળ વધે.
શનિવારે એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા અબ્દુલ્લાએ કહ્યું કે ભાજપે કાશ્મીરી પંડિતોનો વોટ બેંક તરીકે ઉપયોગ કર્યો છે, પરંતુ તેમના માટે કંઈ કર્યું નથી. 1990 ના દાયકામાં જ્યારે કાશ્મીરી પંડિતોની હિજરત કરવામાં આવી ત્યારે તેમણે કાશ્મીરી પંડિતોની સુરક્ષા ન કરી શકવા બદલ તેમની માફી પણ માંગી. આ સમયે કાશ્મીરના પંડિતો અને કાશ્મીર મુસ્લિમો વચ્ચે ઘણી સમસ્યાઓ સર્જાઈ હતી. જમ્મુ અને કાશ્મીરમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ફેલાયેલી આ નફરતનો ફાયદો આપણા દુશ્મનોને થશે.
પૂર્વ સીએમના મતે, જો આપણે નેતાઓ ધર્મ અને રાજકારણને એકબીજાથી દૂર નહીં રાખીએ તો દેશ ટકશે નહીં. શા માટે તેઓ (ભાજપ) મહિલા અધિકાર બિલ પાસ કરતા નથી? સંસદમાં તેમની પાસે 300 સભ્યો છે, પરંતુ તેઓ નથી ઈચ્છતા કે મહિલાઓ આગળ વધે અને પુરુષો જેવો દરજ્જો મેળવે. કાશ્મીરમાં દિવસેને દિવસે થઈ રહેલા હુમલા અંગે તેમણે કહ્યું કે સરકાર કહી રહી છે કે બધુ બરાબર છે, પરંતુ જ્યારે પોલીસકર્મીઓ સુરક્ષિત નથી તો સામાન્ય માણસ કેવી રીતે સુરક્ષિત રહેશે? ચીન આપણા પ્રદેશ પર કબજો જમાવી રહ્યું છે, શું ભારત સરકાર સંસદમાં ચર્ચા કરવા દે છે?
એનસીએ ત્રણ ઠરાવો પસાર કર્યા
નેશનલ કોન્ફરન્સના લઘુમતી સેલની શનિવારે બેઠક યોજાઈ હતી. જેમાં ત્રણ મહત્વના ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. આ ઠરાવો ખીણમાં સ્થળાંતરિત કાશ્મીરી પંડિતોના પરત, પુનર્વસન અને રાજકીય સશક્તિકરણની માંગણી કરે છે. આ ઉપરાંત પંડિતોના મંદિરો અને ધાર્મિક સ્થળોના સંચાલન માટે બિલ પસાર કરવાની પણ માંગ કરવામાં આવી હતી.