ભાજપ નેતાએ કહ્યુ- જે જીતનરામ માંઝીની જીભ કાપીને લાવશે તેને 11 લાખ રૂપિયાનુ ઈનામ
ભાજપ નેતા ગજેન્દ્ર ઝાએ જીતનરામ માંઝીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે.
પટનાઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યમાં સત્તારુઢ પક્ષમાં શામેલ હિંદુસ્તાની આવામ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતનરામ માંઝીએ ભલે બ્રાહ્મણો સામે કરેલી ટિપ્પણી માટે માફી માંગી લીધી હોય પરંતુ હવે આ મામલો અટકવાનુ નામ નથી લઈ રહ્યો. એક તરફ જ્યાં બિહારના પોલિસ સ્ટેશનમાં માંઝી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે ત્યાં બીજી તરફ ભાજપ નેતા ગજેન્દ્ર ઝાએ જીતનરામ માંઝીને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. ગજેન્દ્ર ઝાએ કહ્યુ કે જે પણ માંજીની જીભ કાપશે તેને 11 લાખ રૂપિયાનુ ઈનામ આપશે.

ભાજપ નેતા ગજેન્દ્ર ઝાએ માંઝી પર સનાતન ધર્મ વિરુદ્ધ જાણીજોઈને વારંવાર ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો. ગજેન્દ્ર ઝાએ કહ્યુ કે જો માંઝી હિંદુ સનાતન ધર્મને ન માનતા હોય તો તેમણે ધર્મ પરિવર્તન કરી લેવુ જોઈએ. જો પણ બ્રાહ્મણની દીકરો સમાજ સામે અપમાનજનક ટિપ્પણી કરનાર માંઝીની જીભ કાપશે તેને 11 લાખ રુપિયાનુ રોકડ ઈનામ આપવામાં આવશે.
વળી, હિંદુસ્તાની આવામ મોરચાના પ્રવકતા દાનિશ રિઝવાને ગજેન્દ્ર ઝાને પડકારીને કહ્યુ કે કોઈનામાં પણ માંઝી પર હુમલો કરવાની હિંમત નથી. તેમણે કહ્યુ કે ભાજપ નેતૃત્વએ પોતાના નેતાઓને સમજાવવા જોઈએ, નહિતર પરિણામ ખરાબ આવશે. જ્યારે માંઝી પહેલા જ નિવેદન પ્રત્યે પોતાનો ખેદ વ્યક્ત કરી ચૂક્યા છે તો આ મુદ્દાને ઉઠાવવો યોગ્ય નથી. તમને જણાવી દઈએ કે જીતનરામ માંઝીની પાર્ટી બિહારની સત્તારુઢ એનડીએ ગઠબંધનનો એક ઘટક પક્ષ છે જેમાં ભાજપ પણ શામેલ છે.
વાસ્તવમાં, શનિવારે પટનામાં ભુઈયાં મુસહર સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જીતનરામ માંઝી મુખ્ય અતિથિ હતા. કાર્યક્રમમાં માંઝીએ પોતાના ભાષણ દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કર્યો. તેમણે ધર્મના નામે રાજનીતિનો મુદ્દો ઉઠાવ્યો અને આ દરમિયાન પંડિતો માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો.
કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયાન માંઝીએ કહ્યુ, 'આજકાલ ગરીબ વર્ગના લોકોમાં ધર્મની પારાયણતા વધુ આવી રહી છે. સત્યનારાયણ ભગવાનની પૂજીનુ નામ આપણે લોકો જાણતા નહોતા. હવે દરેક ટોળામાં આપણા લોકોને ત્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા થાય છે. એટલી પણ લાજ શરમ નથી આવતી કે પંડિત... આવે છે અને કહે છે કે તમારે ત્યાં કંઈ નહિ ખઈએ...બસ થોડી રોકડ આપી દો.'
માંઝીએ આના પર સફાઈ આપીને કહ્યુ હતુ કે મે મારા સમાજ માટે આ શબ્દનો ઉપયોગ કર્યો હતો નહિકે પંડિતો માટે. જો કોઈને ખોટી ધારણા થઈ હરયો તો તેના માટે હું માફી માંગુ છુ. મે મારા સમાજના લોકોને કહ્યુ કે આજે આસ્થાના નામે કરોડો રુપિયા ખર્ચવામાં આવે છે પરંતુ ગરીબોનુ કલ્યાણ નથી થઈ રહ્યુ.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
