ભાજપે જેને ભ્રષ્ટ ગણાવ્યા, મોદીએ તેમને મંત્રી બનાવ્યા
નવી દિલ્હી, 30 મે: દેશના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સેનાની સાથે કાર્યભાર સંભાળી લીધો છે. મોદીની ટીમ દેશમાં સારા દિવસો લાવવા માટે કાર્યરત થઇ ગઇ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાએ ટીમ મોદી પર સવાલ ઊઠાવ્યા છે. ભાજપ નેતા કિરીટ સૌમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઊઠાવ્યા છે. મોદીએ જે રાવ ઇંદ્રજીત સિંહને પોતાના રક્ષા રાજ્યમંત્રી બનાવ્યા છે, તેમની વિરુધ્ધ તેમની જ પાર્ટી ભ્રષ્ટાચારના આરોપ લગાવીને તપાસની માંગ કરી ચૂકી છે.
આપને બતાવી દઇએ કે રક્ષા રાજ્યમંત્રી રાવ ઇંદ્રજીત સિંહ પહેલા કોંગ્રેસમાં હતા, અને યૂપીએ સરકારમાં 2006થી 2009ની વચ્ચે રક્ષા ઉત્પાદન મંત્રી હતા. 2014માં લોકસભા ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા અને ગુડગાંવ બેઠક પરથી ચૂંટણી જીતીને મંત્રી પણ બની ગયા, પરંતુ હવે તેમની સામે વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે. સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર આ પ્રકારના સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે કોઇ વ્યક્તિ જે કોંગ્રેસમાં ભ્રષ્ટ હતો, શું ભાજપમાં સામેલ થયા તે પવિત્ર થઇ જાય છે.
રાવની વિરુધ્ધ ભાજપ નેતા કિરીટ સોમૈયાએ કાર્યવાહીની માંગ કરી હતી. ટ્વિટર પર સોમૈયાએ અધિકારીક લેટર હેડ પર લખેલી ફરિયાદ પણ શેર કરવામાં આવી રહી છે. સોમૈયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે 'રક્ષા ઉત્પાદન મંત્રી રાવ ઇંદ્રજીત સિંહની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરે છે.' કાર્યવાહીની આ માંગ મુંબઇના કલ્પતરૂ બિલ્ડર્સ ડિફેંસ લેંડ કૌભાંડમાં કરવામાં આવી હતી.
સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે રક્ષા રાજ્યમંત્રીએ પોતાના ખાનગી સચિવને જણાવ્યું હતું કે સૈન્ય અધિકારીઓના કલ્પતરૂ બિલ્ડર્સને સેનાની જમીન આપવા જણાવે. આ મામલામાં કોંગ્રેસ કાર્યકર્તા શહઝાદ પૂનાવાળાએ વડાપ્રધા કાર્યાલયને ચિઠ્ઠી લખીને રાવ ઇંદ્રજીત સિંહને હટાવવાની માંગ કરી છે. રાવ ઇંદ્રજીત તો મંત્રી બનાવવાને લઇને મોદી પર સવાલ ઊઠાવવા લાગ્યા છે. લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે જો રાવ ઇંદ્રજીત પોતાના સરકારમાં મંત્રી છે તો તેનો અર્થ આપ ભ્રષ્ટાચારને લઇને ગંભીર નથી.
કિરીટ સોમૈયાના મોદી પર પ્રહાર...
ઇંદ્રજીત સિંહને રક્ષા રાજ્યમંત્રી બનાવવા પર વાંધો
ભાજપ નેતા કિરીટ સૌમૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલો ઊઠાવ્યા છે. મોદીએ જે રાવ ઇંદ્રજીત સિંહને પોતાના રક્ષા રાજ્યમંત્રી બનાવ્યા છે, તેમની વિરુધ્ધ તેમની જ પાર્ટી ભ્રષ્ટાચારના આરોપ લગાવીને તપાસની માંગ કરી ચૂકી છે.
ઇંદ્રજીત સિંહ પહેલા કોંગ્રેસમાં હતા
આપને બતાવી દઇએ કે રક્ષા રાજ્યમંત્રી રાવ ઇંદ્રજીત સિંહ પહેલા કોંગ્રેસમાં હતા, અને યૂપીએ સરકારમાં 2006થી 2009ની વચ્ચે રક્ષા ઉત્પાદન મંત્રી હતા. 2014માં લોકસભા ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા અને ગુડગાંવ બેઠક પરથી ચૂંટણી જીતીને મંત્રી પણ બની ગયા, પરંતુ હવે તેમની સામે વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે.
ભ્રષ્ટ નેતા ભાજપમાં આવીને પવિત્ર થઇ જાય છે?
સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર પર આ પ્રકારના સવાલ પૂછવામાં આવી રહ્યા છે કે કોઇ વ્યક્તિ જે કોંગ્રેસમાં ભ્રષ્ટ હતો, શું ભાજપમાં સામેલ થયા તે પવિત્ર થઇ જાય છે.
સોમૈયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે..
'રક્ષા ઉત્પાદન મંત્રી રાવ ઇંદ્રજીત સિંહની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરે છે.' કાર્યવાહીની આ માંગ મુંબઇના કલ્પતરૂ બિલ્ડર્સ ડિફેંસ લેંડ કૌભાંડમાં કરવામાં આવી હતી.
રાવ ઇંદ્રજીત સિંહને હટાવવાની માંગ
સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે રક્ષા રાજ્યમંત્રીએ પોતાના ખાનગી સચિવને જણાવ્યું હતું કે સૈન્ય અધિકારીઓના કલ્પતરૂ બિલ્ડર્સને સેનાની જમીન આપવા જણાવે. આ મામલામાં કોંગ્રેસ કાર્યકર્તા શહઝાદ પૂનાવાળાએ વડાપ્રધા કાર્યાલયને ચિઠ્ઠી લખીને રાવ ઇંદ્રજીત સિંહને હટાવવાની માંગ કરી છે.
આપ ભ્રષ્ટાચારને લઇને ગંભીર નથી....
રાવ ઇંદ્રજીત તો મંત્રી બનાવવાને લઇને મોદી પર સવાલ ઊઠાવવા લાગ્યા છે. લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે કે જો રાવ ઇંદ્રજીત પોતાના સરકારમાં મંત્રી છે તો તેનો અર્થ આપ ભ્રષ્ટાચારને લઇને ગંભીર નથી.