રોકડ સબસિડીના વિરોધમાં ભાજપે કરી ECને ફરિયાદ

bjp leader
નવી દિલ્હી, 30 નવેમ્બર: યુપીએ સરકારની કેશ સબસિડી યોજનાને લઇને ભારતીય જનતા પાર્ટીએ આજે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપે ફરિયાદ કરી છે કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સરકારી યોજનાઓના લાભ અને સબસિડીનું રોકડ વળતળ લાભાર્થીઓને આપવાની જાહેરાત કરીને ચૂંટણી સંહિતાનો ભંગ કર્યો છે.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી, સુષમા સ્વરાજ, અરૂણ જેટલી, અને મુખ્તાર અબ્બાસ નકવી સહિતના નેતાઓ મુખ્ય ચૂંટણી અધિકારી બી.એસ.સંપત સાથે મુલાકાત કરી આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.

આડવાણીએ મુલાકાત બાદ જણાવ્યું કે આ યોજના આખા દેશ માટે છે જેમાં ગુજરાતના જિલ્લાઓના નામનો પણ સમાવેશ થાય છે. જેના કારણે કોંગ્રેસ પક્ષને સીધો લાભ થઇ શકે છે.

તેમણે જણાવ્યું કે ચૂંટણી સહિંતા અનુસાર ચૂંટણી દરમિયાન આવી જાહેરાતો પ્રતિબંધિત હોય છે, જેના કારણે મતદાતાઓને પ્રભાવિત કરી શકાય. તેમણે જણાવ્યું કે આના કારણે રાજ્ય સરકારના અધિકારોનું અતિક્રમણ છે જેનો સાર્વજનિક વિતરણ પર અસર પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X