રાજસ્થાનની ચૂંટણીમાં મુદ્દાને બદલે ચહેરાની રમત રમશે ભાજપ

રાજસ્થાનની ચૂંટણીમાં મુદ્દાને બદલે ચહેરાની રમત રમશે ભાજપ

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ભાજપ માટે પોતાની સરકાર બચાવવી મુશ્કેલ થઈ રહ્યું છે. પાંચ વર્ષથી સત્તા ચલા રહેલ વસુંધરા રાજે અને એના મંત્રીઓને લઈને જનતામાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે. ભાજપ આ વાતથી અજાણ નથી, ત્યારે રાજસ્થાનને લઈને પાર્ટી ખાસ રણનીતિ બનાવી રહી છે. ભાજપ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી બનામ રાહુલ ગાંધી બનાવવાની ફિરાકમાં છે. જેથી કરીને વસુંધરા સરકાર વિરુદ્ધ એન્ટી ઈનકમ્બન્સીના ફેક્ટરને ઘટાડી શકાય અને મોદીના કદનો ફાયદો ઉઠાવી શકાય. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપના મંત્રીઓના અહંકાર અને ભ્રષ્ટાચારના મુદ્દા રાજ્યમાં ભાજપની સત્તા વાપસીની સંભાવનાઓમાં ઘટાડો થયો છે. એવામાં પાર્ટી આ મુદ્દાઓને નિપટવા માટે રણનીતિ તૈયાર કરી રહી છે.

રાજ્ય સરકાર વિરુદ્ધ ગુસ્સો

રાજ્ય સરકાર વિરુદ્ધ ગુસ્સો

કેન્દ્રથી લઈને રાજ્ય સુધીનું ભાજપનું સમગ્ર ચૂંટણી તંત્ર રાજ્ય પર ફોકસ કરી રહ્યું છે. પરંતુ કેન્દ્રીય નેતૃત્વને ગ્રાઉન્ડ લેવલેથી જે પ્રતિક્રિયાઓ મળી રહી છે તેનાથી સ્પષ્ટ છે કે લોકોમાં મુખ્યમંત્રી વસુંધરા રાજે વિરુદ્ધ ગુસ્સો જોવા મળી રહ્યો છે. મંત્રીઓ અને ધારાસભ્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોનો મામલો પણ છે અને જાતીય સમીકરણ પણ ભાજપ માટે મુશ્કેલી બનાવી રહ્યાં છે.

કોંગ્રેસના પ્લાનને ફેલ કરશે

કોંગ્રેસના પ્લાનને ફેલ કરશે

કોંગ્રેસ રાજસ્થાન ચૂંટણીને વસુંધરા રાજે વિરુદ્ધ જનમત સંગ્રહમાં બદલવા માગે છે. ભાજપના સૂત્રો કહે છે કે અમે આવું નહિ થવા દઈએ અને તેને જોતા જ પાર્ટી પોતાની રણનીતિની લઈને કામ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર આ ની રણનીતિ પર કામ કરી રહ્યા છે અને જલદી જ તેની અસર ભાજપના ચૂંટણી અભિયાન પર જોવા મળશે.

મોદી બનામ રાહુલથી ફાયદો

મોદી બનામ રાહુલથી ફાયદો

ભાજપના સૂત્રોનું કહેવું છે કે વસુંધરા રાજે અને સચિન પાયલટ વચ્ચે મુકાબલો થાય તો કોંગ્રેસને ભાજપ પડકાર નહિ ફેંકી શકે. પરંતુ તેને મોદી બનામ રાહુલમાં તબદીલ કરવામાં આવે તો ભાજપ માટે રાજ્યમાં સંભાવનાઓ વધી જશે. આવું થવાથી વસુંધરા સરકાર વિરુદ્ધના ગુસ્સો અને ચર્ચાને દબાવીને વાત કેન્દ્રની મોદી સરકારની નીતિઓ અને રાહુલ ગાંધીના નેતૃત્વને લઈને થશે અને ભાજપ આમાં બાજી મારી જશે.

સમુદાયો પર પણ નજર

સમુદાયો પર પણ નજર

રાજ્યમાં જાટ, ગુર્જર, રાજપૂત અને મીણા સમુદાય આ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવશે. ભાજપ રાહુલ ગાંધીની એ વાતને પણ ભૂલવવા માગે છે જેમાં એમણે ચૂંટણી જીતવા પર સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાના સંકેત આપ્યા છે. રાહુલ ગાંધીના આ સંકેતથી અશોક ગેહલોતના સમર્થકો અને ગુર્જર સમુદાયમાં નારાજગી છે. રાજ્યમાં માહોલ એવો છે કે જો જાટ, ગુર્જર અને મીણામાં કોઈ સમુદાયને વધુ મહત્વ મળે તો બીજા સમુદાયો તેમની વિરુદ્ધણાં ઉભા થઈ જશે. ભાજપ આના પર પણ નજર બનાવી રહી છે પરંતુ રાજસ્થાનમાં તેમનો અસલી ઉદ્દેશ્ય ચૂંટણી લક્ષી લડાઈને નરેન્દ્ર મોદી બનામ રાહુલ ગાંધી બનાવવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X