'કોંગ્રેસને હરાવવા ભાજપને નવા મિત્રની જરૂર'

ડો. શ્યામ પ્રસાદ મુખરજીના 61માં બલિદાન દિવસ પર આયોજિત એક સમારોહ દરમિયાન અડવાણીએ કહ્યું કે, જો કોંગ્રેસને ચૂંટણીમાં હરાવવું હોય તો એનડીએને મજબૂત કરવું પડશે. ભાજપે અન્ય કોંગ્રેસ વિરોધી દળોને જોડવા પડશે.
ભાજપમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વધતા કદથી અને તેનાથી નારાજ થઇને જેડીયુએ એનડીએ સાથે નાતો ખતમ કરવાના કરાણે અડવાણી નારાજ છે. અડવાણી ભાજપના નેતાને સલાહ આપી છે કે, તેમણે કોંગ્રેસ વિરુદ્ધ મજબૂત સ્થિતિમાં આવવા માટે પોતાના નવા સહયોગીઓની શોધ આદરવી પડશે, ત્યારે જ તે ચૂંટણીમાં કોંગ્રેસને ટક્કર આપી શકે છે.












Click it and Unblock the Notifications
