ભાજપા વિધાયકે પ્રિયંકા ગાંધીની શુર્પણખા સાથે તુલના કરી
યુપીમાં બલિયા જનપથના બેરિયાથી ભાજપા વિધાયક સુરેન્દ્ર સિંહ પોતાના વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
યુપીમાં બલિયા જનપથના બેરિયાથી ભાજપા વિધાયક સુરેન્દ્ર સિંહ પોતાના વિવાદિત નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેમને ફરી એકવાર વિવાદિત નિવેદન આપતા રાહુલ ગાંધીની તુલના રાવણ અને પ્રિયંકા ગાંધીની તુલના શુર્પણખા સાથે કરી છે. ભાજપા વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રામ-રાવણ યુદ્ધ થયું હતું ત્યારે રાવણે પહેલા શુર્પણખાને મોકલી હતી. તેવી જ રીતે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી પહેલા બહેનને મેદાનમાં ઉતારી છે.

પ્રિયંકા ગાંધીને પૂર્વી ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્યા પછીથી તેમના વિશે સતત ટિપ્પણીઓ આવી રહી છે. ભાજપા વિધાયક સુરેન્દ્ર સિંહએ બધી જ સીમાઓ પાર કરતા જણાવ્યું કે કોંગ્રેસ એક તૂટેલી નાવડી બની ચુકી છે. તેઓ ફક્ત એસસી-એસટી એકટને કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જીતી શકી છે. તેના સિવાય તેમને ક્યાંય પણ જીત નહીં મળે.

ભાજપા વિધાયક સુરેન્દ્ર સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી રાવણના રૂપમાં હશે અને નરેન્દ્ર મોદી રામના રૂપમાં હશે. તેમને કહ્યું કે હવે બહેન પણ મેદાનમાં આવી ચુકી છે તો રોબર્ટ વાડ્રાને પણ મેદાનમાં ઉતારી દો. બધાને ગાંધી ટોપી મળી ચુકી છે.
આ પણ વાંચો: પ્રિયંકા કાર્ડનો એક્કો તો પછી જોકરથી કેમ રમી રહ્યા હતા: સરોજ પાંડે












Click it and Unblock the Notifications
