Parliament Security Breach: કોણ છે ભાજપ સાંસદ પ્રતાપ સિમ્હા, જેમણે સંસદની સુરક્ષામાં ભંગ કરનારને આપ્યા હતા પાસ
Who is BJP MP Pratap Simha: સંસદની લોકસભાની સુરક્ષામાં ક્ષતિનો મામલો ચર્ચામાં છે. 13 ડિસેમ્બરે સંસદમાં થયેલા આતંકી હુમલાની વરસી પર, લોકસભામાં સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી. લોકસભામાં શૂન્ય કાળ દરમિયાન, સાગર શર્મા અને મનોરંજન ડી નામના બે વ્યક્તિઓ વિઝિટર ગેલેરીમાંથી કૂદીને એ વિસ્તારમાં આવી ગયા હતા જ્યાં સાંસદો બેઠા હતા.
તેમના હાથમાં નાના ડબ્બા હતા જેમાંથી પીળો ગેસ નીકળતો હતો. બંનેએ ત્યાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. મૈસુરના ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હા દ્વારા આપવામાં આવેલ 'વિઝિટર પાસ' આ બે આરોપી સાગર શર્મા અને મનોરંજન ડી પાસેથી મળી આવ્યો હતો.

એટલે કે મૈસુરના ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાએ જ બંને આરોપીઓને સંસદમાં પ્રવેશવા માટે પાસ આપ્યો હતો. જ્યારે કોઈ સાંસદ વ્યક્તિઓને આવા પાસ આપે છે, ત્યારે તેમણે એફિડેવિટ આપવું પડે છે કે તેઓ એ વ્યક્તિને વ્યક્તિગત રીતે ઓળખે છે. ઘૂસણખોરો પાસેથી મળી આવેલા વિઝિટર પાસમાં તેમનું નામ સામે આવ્યા બાદ પ્રતાપ સિંહાની ટીકા થઈ રહી છે.
જો કે અત્યાર સુધી પ્રતાપ સિમ્હાએ બંને ઘૂસણખોરો સાથેના સંબંધો અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. પરંતુ તેઓએ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને કહ્યું કે તેમાંથી એકના પિતા તેમના મતવિસ્તારના રહેવાસી છે અને તેમણે સંસદનો 'વિઝિટર પાસ' માંગ્યો હતો.
પ્રતાપ સિંહાએ સ્પીકરને કહ્યું કે તેમની પાસે ઘૂસણખોરો વિશે કોઈ વધારાની માહિતી નથી. તેમાંથી એક, મનોરંજન ડી, પોતાના અને તેના મિત્ર સાગર માટે 'વિઝિટર પાસ' મેળવવા માટે પ્રતાપ સિંહાના PA સાથે સતત સંપર્કમાં હતો.
47 વર્ષીય ભાજપના સાંસદ પ્રતાપ સિંહા લોકસભામાં મૈસુર-કોડાગુ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતાપ સિંહા મૈસુરમાં ભાજપના લોકપ્રિય નેતા છે અને 2014 અને 2019 બંને લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. રાજનેતા બનતા પહેલા પ્રતાપ સિંહા પત્રકાર હતા. પત્રકારમાંથી રાજનેતા બનેલા પ્રતાપ સિમ્હાએ 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાની રાજકીય શરૂઆત કરી હતી, જે પહેલા તેઓ 'કન્નડ પ્રભા' સાથે કામ કરતા હતા.
2015માં, પ્રતાપ સિંહાને પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હિન્દુત્વના કટ્ટર સમર્થક પ્રતાપ સિમ્હા, ટીપુ સુલતાનનો જન્મદિવસ ઉજવવાના સરકારના નિર્ણયની વિરુદ્ધ હતા કારણ કે તેમણે કહ્યું હતું કે ટીપુ સુલતાન માત્ર ઇસ્લામવાદીઓ માટે જ રોલ મોડેલ બની શકે છે.
પત્રકારમાંથી રાજકારણી બનેલા પ્રતાપ સિંહા અગાઉ પણ ઘણી વખત વિવાદોમાં રહ્યા છે. તેમણે આ વર્ષે રખડતા કૂતરા અને પ્રાણીપ્રેમીઓની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે શ્વાન પ્રેમીઓ તેમના બાળકોને કરડ્યા પછી રખડતા કૂતરાઓના ભયને સમજશે. ગયા વર્ષે પ્રતાપ સિંહાએ મૈસુર-ઉટી રોડ પર બસ સ્ટોપ તોડી પાડવાની ચેતવણી આપી હતી.












Click it and Unblock the Notifications
