Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક, સૌની નજર મોદી પર

નવી દિલ્હી, 1 માર્ચ: ભારતીય જનતા પાર્ટી દિલ્હી ખાતે આજે પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી અને પરિષદની બેઠક યોજાવાની છે. જેમાં આવનાર સામાન્ય ચૂંટણીને વિકલ્પના રૂપે રજૂ કરવાની રણનીતિ વિકસિત કરવા માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે.

બીજેપી પોતાની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક બંધ બારણે કરશે. રાષ્ટ્રીય પરિષદની બે દિવસીય બેઠક શનિવાર અને રવિવારે યોજાશે, જેમાં દેશભરના પરિષદના સભ્યો ભાગ લેવા માટે ઉપસ્થિત રહેશે.

narendra modi
આ સમ્મેલન ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ રાજનાથસિંહના પાર્ટી પ્રમુખના રૂપમાં વરણી કરાયા બાદ પાર્ટીની આવી પહેલી બેઠક છે. આ ત્રણ દિવસ દરમિયાન પાર્ટી નેતૃત્વ, હૈદરાબાદ વિસ્ફોટ બાદ આંતરિક સુરક્ષા સ્થિતિ, વીવીઆઇપી હેલીકોપ્ટર ઘોટાળા, આર્થિક મંદી, ભારત-પાકિસ્તાન સંબંધ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ બેઠકમાં એ અંગે પણ ચર્ચા કરવામાં આવશે કે આર્થિક અને સુરક્ષાના સ્તરે સરકારની નિષ્ફળતાને કઇ રીતે લોકોની સામે લાવવામાં આવે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સમ્મેલન બાદ કેન્દ્રીય પદાધિકારીઓની વરણી, ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કેન્દ્રીય સંસદીય બોર્ડમાં સામેલ કરવા જેવા મહત્વના નિર્ણય લેવાઇ શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે બેઠકમાં અનૌપચારિકરીતે ચર્ચા થઇ શકે છે. રાષ્ટ્રીય કાર્યકારિણી અને પરિષદના ક્રમશ: ચાર અને નવ સત્ર રહેશે. 'બીજેપી સુશાસન સંકલ્પ, બીજેપી વિકલ્પ'ની સાથે આગામી ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X