સૂરજકુંડમાં ભાજપની ત્રિદિવસીય કારોબારી અધિવેશન શરૂ
આ રાષ્ટ્રીય કારોબારી અધિવેશનમાં ભાજપના અધ્યક્ષ નિતિન ગડકરીના સતત બીજા કાર્યકાળને મંજૂરી આપવામાં આવશે. થોડાં દિવસો પહેલાં મુંબઇમાં યોજાયેલા એક સંમેલનમાં પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીએ પ્રસ્તાવ રજૂ કરી નિતિન ગડકરીને સતત બીજી વખત કાર્યકાળ સોંપવાની મંજૂરી આપી હતી.
ડિસેમ્બરમાં પાર્ટી અધ્યક્ષ તરીકે ગડકરીનો કાર્યકાળ પૂર્ણ થાય છે ત્યારબાદ તે બીજા કાર્યકાળ માટે ચાલુ રહી શકે છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદ અહીં ઔપચારિક રીતે પ્રસ્તાવ રજૂ કરીને ગડકરીના બીજા કાર્યકાળ માટે રસ્તો સાફ કરી દેશે. રાષ્ટ્રિય પરિષદમાં 1200 સભ્યો છે.
આ
રાષ્ટ્રીય
કારોબારી
અધિવેશનમાં
નીતિન
ગડકરી
ઉપરાંત
ગુજરાતના
મુખ્યમંત્રી
નરેન્દ્ર
મોદી
પણ
પહોંચ્યા
છે.
બીજી
તરફ
રાજસ્થાન
સરકારે
આરએસએસની
બેઠકમાં
જનારા
અધિકારીઓ
વિરુદ્ધ
કાર્યવાહીનું
ફરમાન
જાહેર
કર્યું
છે.
જોકે
ભાજપના
સુષ્મા
સ્વરાજની
તબિયતના
ખરાબ
હોવાને
કારણે
તે
અધિવેશનમાં
ભાગ
લઇ
શકશે
નહીં.
રાષ્ટ્રીય
કારોબારીના
ત્રિદિવસીય
અધિવેશનમાં
ભાજપ
આગળની
રણનીતિ
ઉપર
ચર્ચા
વિચારણા
હાથ
ધરાશે.