ભાજપવાળા માત્ર મંદિર-મસ્જિદની વાતો કરે છે, ધરાતલ પર કોઈ કામ નથી કરતાઃ સચિન પાયલટ
રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ ઉત્તરાખંડના ચૂંટણી પ્રવાસે ભાજપ પર નિશાન સાધ્યુ છે.
દહેરાદૂનઃ રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ ઉત્તરાખંડના ચૂંટણી પ્રવાસ પર છે. સચિન પાયલટે કહ્યુ કે ઉત્તર પ્રદેશ હોય કે પંજાબ હોય દરેક જગ્યાએ લોકો કોંગ્રેસના પત્રમાં મત આપવા માંગે છે. હું ગોવા ગયો ત્યાં પણ અમારી સરકાર બનવા જઈ રહી છે, હું તમને લોકોને આગ્રહ કરવા માંગુ છુ કે એવા વ્યક્તિ જે તમારી વચ્ચે રહીને ગ્રામ પંચાયતથી લઈને દહેરાદૂન સુધી તમારો પક્ષ લે, સચ્ચાઈ ઈમાનદારીથી તમારી સેવા કરે, જેમને રાજકીય જીવનમાં આજ સુધી કોઈ ડાઘ ના હોય, એવા વ્યક્તિને આશીર્વાદ આપશો તે તમારા વિસ્તારનુ સમ્માન વધશે. એક એવા કર્મઠ વ્યક્તિને તમે લોકો આગળ વધારો જે તમારા અવાજને બુલંદ રીતે ઉઠાવે.
સચિન પાયલટે કહ્યુ કે સરકાર કોંગ્રેસની બનશે પરંતુ તેમાં તમારી ભાગીદારી હોય તેમાં તમારી હિસ્સેદારી હોય. એ સુનિશ્ચિત કરવા માટે આવનારી 14 તારીખે કોંગ્રેસના પક્ષમાં મતદાન કરો. કોંગ્રેસની સરકાર બનશે તો અમે વચન આપીએ છીએ કે જે વાત રાવ સાહેબે તમારી વચમાં કરી છે તેના પર અમે અમલ કરીશુ. એમની પૂરી મદદ અમે લોકો કરીશુ અને પાર્ટી કરશે. એ સેવાભાવથી તમારા માટે કામ કરવા માંગે છે. તેમાં સફળ થાય એ માટે અમે બધા લોકો પાસે વિનમ્રતાથી તમારી વચ્ચે મત માંગવા આવ્યા છીએ.
સચિન પાયલટે કહ્યુ કે ભાજપ પ્રચાર કરી રહી છે તેમની વાતોમાં ના આવશો. આ ભાજપ બહુ પૈસાવાળી પાર્ટી છે. બહુ સંશાધન છે તેમની પાસે. તેમની નિયતમાં ક્યાંકને ક્યાંક ખોટ છે. જો તમે લોકોએ પહેલા એમને આશીર્વાદ આપીને સરકાર તેમની બનાવી દીધી, એનુ શું પરિણામ આવ્યુ. શિક્ષણ, ચિકિત્સા, રસ્તા કોઈનો વિકાસ થયો નહિ. આ ભાજપવાળા લોકો માત્ર મંદિર-મસ્જિદની વાતો કરે છે, ધરાતલ પર કોઈ કામ નથી કરતા.