ચૂંટણી પછીની રણનીતિ બનાવવામાં જોડાયા અમિત શાહ
વિધાનસભા ચૂંટણી પુરી થયા પછી અને વિરોધમાં આવેલા એક્ઝીટ પોલ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના મહાસચિવોની એક બેઠક બોલાવી છે.
વિધાનસભા ચૂંટણી પુરી થયા પછી અને વિરોધમાં આવેલા એક્ઝીટ પોલ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના મહાસચિવોની એક બેઠક બોલાવી છે. આ બેઠક દિલ્હીના ભાજપા મુખ્યાલયમાં ચાલી રહી છે. બેઠકમાં ચૂંટણી પછી આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. ભાજપા અધ્યક્ષે તેવા મહાસચીવો સાથે મુલાકાત કરી જેમને ચૂંટણીમાં મહત્વની જવાબદારીઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીના બધા જ મહાસચિવ રામ માધવ, ભુપેન્દર યાદવ, અરુણ સિંહ, કૈલાશ વિજયવર્ગીય, સરોજ પાંડે, અનિલ જૈન હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: રામચંદ્ર ગુહાએ ફોટો ટ્વીટ કરી કહ્યું- બીફ ખાઈ રહ્યો છું, ભાજપના ગોવામાં જશ્ન મનાવી રહ્યો છું

એક્ઝીટ પોલમાં ભાજપને ભારે નુકશાન
વિધાનસભા ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીને એક્ઝીટ પોલમાં ભારે નુકશાન થવાની વાત સામે આવી રહી છે. પરંતુ પાર્ટી હજુ પણ માને છે કે તેઓ ત્રણ રાજ્યોમાં જીતી શકશે. તેમને દાવો કર્યો કે આ પરિણામ પછી ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

આગળની રણનીતિ પર ચર્ચા થઇ
પાર્ટીના પોતાના સર્વેમાં તેના કરતા વિપરીત પરિણામ સામે આવ્યા છે. તેમને દાવો કર્યો છે કે તેમના પરિણામ વધારે સટીક છે અને તેઓ આ રાજ્યોમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે. આ બેઠકમાં મહાસચિવ રામલાલ, અરુણ સિંહ સહીત ઘણા મહાસચિવોએ દરેક રાજ્યોમાં ભાજપની સંભાવના પર ચર્ચા કરી. ભાજપના સૂત્રોનું માનવું છે કે તેમને આ બાબતે પણ ચર્ચા કરી છે કે જો તેમને જરૂરી સીટો નહીં મળી તો તેઓ કોની સાથે ગઠબંધન કરશે.

એક્ઝીટ પોલ પછી બેઠક બોલાવી
અમિત શાહે અલગ અલગ રાજ્યોના એક્ઝીટ પોલ પછી બેઠક બોલાવી. આ એક્ઝીટ પોલ અનુસાર ભાજપ સત્તાથી બહાર થઇ રહી છે. રામલાલ દરેક રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલ પર ભાજપ અને આરએસએસ વર્કર્સની મદદ ઘ્વારા બૂથ મેનેજમેન્ટની જવાબદારી સંભાળી રહ્યા હતા જયારે અનિલ જૈન પાર્ટી પાર્ટી અધ્યક્ષની રેલીઓને સંભાળી રહ્યા હતા. આ બેઠકમાં તે દરેક વિધાનસભાની ડીટેલ પર ચર્ચા કરવામાં આવી જ્યાં પાર્ટીના હારની સંભાવના છે. પાર્ટી અધ્યક્ષને સરકાર બનાવવાનો પૂરો ભરોષો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
