'બાબરી મસ્જિદ ધ્વસ્ત કરવા પાછળ મંદિર બનાવવાની નહોતી ઈચ્છા', કોંગ્રેસે ખોલ્યો ભાજપ-આરએસએસનો રાઝ
Congress on Ayodhya Ram Temple: અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવા પાછળ ભારતીય જનતા પાર્ટી (BJP), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)નો ઈરાદો રાજકીય લાભ લેવાનો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે મંગળવારે આ આરોપો લગાવ્યા હતા.
તેમણે કહ્યું કે તેમનો ઈરાદો તે જગ્યાએ મંદિર બનાવવાનો નહિ પરંતુ રાજકીય લાભ માટે તેને હિંદુ-મુસ્લિમનો મુદ્દો બનાવવાનો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ દાવો કર્યો કે કોંગ્રેસે ક્યારેય અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો વિરોધ કર્યો નથી. પરંતુ, નવા મંદિરના સ્થાન પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉઠાવ્યા જ્યાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે.

દિગ્વિજય સિંહે વધુમાં કહ્યું કે કોંગ્રેસે વિવાદિત જમીન પર મંદિરના નિર્માણ માટે કોર્ટના નિર્ણય સુધી રાહ જોવાનું કહ્યું છે. પૂર્વ પીએમ રાજીવ ગાંધીના સમયમાં બિન-વિવાદિત જમીન પર ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. પૂર્વ વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવે પણ રામ મંદિરના નિર્માણ માટે બિન-વિવાદિત જમીન અધિગ્રહણ કરી હતી. દિગ્વિજય સિંહે નિશાન સાધતા કહ્યું કે વિનાશ તેમના આચરણ અને ચારિત્ર્યમાં રહેલો છે. અશાંતિ ફેલાવીને રાજકીય લાભ ઉઠાવવો એ ભગવા સંગઠનની રણનીતિ છે.
આ દરમિયાન, રાજ્ય ભાજપના પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ વળતો પ્રહાર કર્યો, સિંહને 'રામ દ્રોહી' (ભગવાન રામ વિરોધી) ગણાવ્યા અને દાવો કર્યો કે કોંગ્રેસ નેતા અને તેમની પાર્ટી સનાતન ધર્મની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં ભગવાન રામને "કાલ્પનિક" વ્યક્તિ ગણાવ્યા હતા. ચતુર્વેદીએ પૂછ્યું કે સિંહે સ્પષ્ટતા કરવી જોઈએ કે તેઓ કેટલા સમય સુધી "સનાતન ધર્મ વિરોધી અને રામ દ્રોહી" રહેશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
