પંજાબમાં કેપ્ટન સાથે ભાજપનું ગઠબંધન ફાઈનલ, સીટ વહેંચણી માટે કમિટીની રચના
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિન્દર સિંહ આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે ગઠબંધન કરીને લડશે. આ માટે તેઓ સોમવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને મળ્યા હતા.
નવી દિલ્હી : પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબ લોક કોંગ્રેસના અધ્યક્ષ કેપ્ટન અમરિન્દર સિંહ આગામી વિધાનસભા ચૂંટણી ભાજપ સાથે ગઠબંધન કરીને લડશે. આ માટે તેઓ સોમવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને મળ્યા હતા.
આ બેઠકમાં બીજેપી ચીફ જેપી નડ્ડા અને પંજાબ બીજેપી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવત પણ હાજર હતા. બેઠકમાં ચૂંટણીની તૈયારીઓ, ઢંઢેરો અને બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ સંયુક્ત સમિતિ બનાવવા પર પણ સહમતિ સધાઈ હતી.
ચૂંટણીની જાહેરાત પહેલા દરેક મુદ્દા પર સર્વસંમતિ સધાઈ જશે
આ બેઠક બાદ પંજાબ બીજેપી પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે, આજે બીજેપી, પંજાબ લોક કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ)ના વડાઓ મળ્યાહતા.
આ દરમિયાન અમિત શાહ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એક કમિટી બનાવવા પર સહમતિ સધાઈ છે, જેમાં ત્રણેય પક્ષોના બે-બે સભ્યોનો સમાવેશ કરવામાંઆવશે.
આ સમિતિ પંજાબ ચૂંટણીના દરેક મુદ્દા પર વાત કરશે. જેમાં બેઠકોની ફાળવણી, સંયુક્ત ઘોષણાપત્ર વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે તેમણે આશા વ્યક્તકરી હતી કે, ચૂંટણીની જાહેરાત પહેલા દરેક મુદ્દા પર સર્વસંમતિ સધાઈ જશે.
આ છે બીજું અકાલી દળ
ગયા વર્ષ સુધી, શિરોમણી અકાલી દળ એનડીએ ગઠબંધનનો ભાગ હતો, પરંતુ નવા કૃષિ કાયદાની રજૂઆત પછી, તેણે ભાજપ સાથેના તમામ સંબંધો તોડી નાંખ્યાહતા.
આ સિવાય હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સોમવારની બેઠકમાં ભાજપે શિરોમણી અકાલી દળ (યુનાઈટેડ) સાથે ગઠબંધન કર્યું છે, આ પાર્ટી પ્રકાશ સિંહ બાદલની નથી. તેના વડા સુખદેવ સિંહ ધીંડસા છે. તેઓ પણ સોમવારની બેઠકમાં કેપ્ટન સાથે અમિત શાહના ઘરે પહોંચ્યા હતા.
આ છે ભાજપનું પ્લાનિંગ
પંજાબમાં વિધાનસભાની 117 બેઠકો છે. ગત ચૂંટણીમાં બીજેપીનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું, જેના કારણે આ વખતે તેમને કેપ્ટનનો સહારો મળ્યો છે.
સૂત્રોના જણાવ્યાઅનુસાર, ભાજપ 70-80 બેઠકો પર લડવાની યોજના ધરાવે છે, તેઓ બાકીની બેઠકો કેપ્ટન અને ધીંડસાના ખાતામાં નાખશે. જો કે, ટીમો અને પક્ષો એકસાથે મંથન કરીરહ્યા છે કે, કઈ સીટ કોના હાથમાં જશે.