ભાજપનુ મુસ્લિમ કનેક્ટઃ 2024 પહેલા યુપીમાં પીએમ મોદીના 'મન કી બાત'ની 1 લાખ ઉર્દૂ નકલો વહેંચશે BJP
Bhartiya Janta Party: ઉત્તર પ્રદેશમાં નગરપાલિકાને ચૂંટણીને સેમીફાઈનલ માનીને ચૂંટણી તૈયારીઓમાં લાગેલા ભાજપનુ મુખ્ય લક્ષ્ય સામાન્ય ચૂંટણી છે. આ સ્થિતિમાં ભાજપ આ હિન્દી પટ્ટામાં મુસ્લિમ કનેક્ટની કવાયતમાં લાગી ગયુ છે.
એક તરફ ભાજપનું સબકા સાથ સબકા વિકાસનો નારો, બીજી તરફ હવે ભાજપ યુપીમાં આ સમુદાયમાં પીએમ મોદીના મન બી બાતની એક લાખ ઉર્દૂ નકલો વહેંચવાનું કામ કરશે. ભાજપની આ રણનીતિના કેન્દ્રમાં ખાસ કરીને તે 14 લોકસભા બેઠકો છે જે ભાજપે ગઈ વખતે ગુમાવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'મન કી બાત' ને મુસ્લિમ સમુદાયના દરેક વર્ગ સુધી લઈ જવા માટે, ભાજપ 150 પાનાના પુસ્તકની એક લાખ નકલો છાપી રહી છે, જે રમઝાન દરમિયાન "ભવ્ય સમારોહ" માં વિતરણ કરવામાં આવશે એમ ભાજપના એક કાર્યકર્તાએ જણાવ્યુ હતુ. 'વઝીર-એ-આઝમ જનાબ નરેન્દ્ર મોદી કે મન કી બાત ઉર્દૂ કે સાથ' 2022માં રેડિયો પર પ્રસારિત વડાપ્રધાનના ભાષણોના 12 એપિસોડનુ સંકલન છે.
ભાજપના લઘુમતી મોરચાના પ્રદેશ અધ્યક્ષ કુંવર બાસિત અલીનુ કહેવુ છે કે, 'પીએમ મોદીની મન કી બાત દ્વારા પાર્ટી મુસ્લિમ સમુદાય સુધી સરકારની પ્રાથમિકતા પહોંચાડવા માંગે છે. આ પુસ્તકનુ ફોકસ યુપીની 14 બેઠકો પર રહેશે જ્યાં ભાજપની હાર થઈ હતી. વડાપ્રધાન મોદી દરેક લોકોના નેતા છે. કોઈ રાજકીય ઈરાદો નથી પરંતુ સૌના વિકાસની વાત છે. તેમનો સંદેશ મુસ્લિમો સુધી અને તેમની ભાષામાં પણ પહોંચવો જોઈએ.'
જો કે વિપક્ષો હવે મુસ્લિમ સમુદાયને ખુશ કરવા માટે સરકાર પર નિશાન સાધી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા રાજીવ રાયે કહ્યુ કે ભાજપની વિચારધારા પછાત સમુદાયો અને મુસ્લિમ વિરોધી છે. પીએમ મોદીની પણ આ જ વિચારસરણી છે. આજ સુધી કોઈ પૂર્ણ સમય કેન્દ્રીય લઘુમતી મંત્રી નથી. તેમણે મુસલમાનોને ભિખારીનો વાટકો આપવાનુ કામ કર્યુ. પાર્ટીએ ધર્મના આધારે ભેદભાવ કર્યો અને યુપીમાં દલિતો અને મુસ્લિમો પર જ બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી.
રાયે કહ્યું કે પીએમે કહ્યું હતુ કે મુસ્લિમના હાથમાં કુરાન અને લેપટોપ હશે પરંતુ એવું કંઈ થયુ નહીં. ભાજપ અને આરએસએસ મુસ્લિમોને ડરાવવા અને તેમના હિંદુત્વથી મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દેશ જેટલો હિંદુઓનો છે તેટલો જ મુસ્લિમોનો પણ છે. આ પુસ્તક શેર કરવાથી કંઈ થશે નહીં. ભાષણો આપવાથી આ લોકોનુ ભાગ્ય બદલાતુ નથી.
પુસ્તક વિમોચન પર સવાલ ઉઠાવતા કોંગ્રેસના પ્રવક્તા અંશુ અવસ્થીએ કહ્યુ કે પીએમ મોદી ભલે 'મન કી બાત'ની વાત કરે છે, પરંતુ તેઓ ક્યારેય લોકો, ખેડૂતો, યુવાનો, મોંઘવારી કે ચીન વિશે વાત કરતા નથી. મોદી-અદાણી ભાઈઓની ક્યારેય વાત કરતા નથી. હવે તે તેના મનમાં શું છે તે વિશે વાત કરવા માંગે છે. ઉર્દૂ હોય કે ફ્રેંચમાં ભાષાંતર થાય, તે લોકો માટે કામમાં આવતુ નથી. તેઓએ જણાવવુ પડશે કે છેલ્લા 10 વર્ષમાં શું કર્યુ છે.
રાજનીતિ વિજ્ઞાનના ભૂતપૂર્વ પ્રોફેસર દાનિશ ખાનનુ કહેવુ છે કે કોઈપણ પક્ષ મુસ્લિમોની નજીક આવી શકે છે પરંતુ તેમની વાત અને કાર્યમાં કોઈ ફરક ન હોવો જોઈએ. કોઈપણ પક્ષના નેતાઓ જો મુસ્લિમો સુધી પહોંચવા માંગતા હોય તો તેઓ કરી શકે છે પરંતુ આવા લોકોને પણ પાર્ટીમાંથી પ્રતિબંધિત કરવા જોઈએ જેઓ તેમના નફરતભર્યા ભાષણોથી મુસ્લિમ સમુદાયમાં ઝેર ફેલાવવાનો પ્રયાસ કરે છે. પાર્ટીએ મુસ્લિમ કલ્યાણને લઈને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરવો જોઈએ.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
