મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવાનો ભાજપ કરશે પ્રચાર, તમામ મંત્રીઓ કરશે 75 કલાક જનસંપર્ક
વડાપ્રધાન મોદી 31 મેના રોજ શિમલામાં ગરીબ કલ્યાણ સંમેલન દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરશે. આ જ દિવસે કેન્દ્ર સરકારના 75 મંત્રીઓ 75 સ્થળોએ ગરીબ કલ્યાણના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષ પૂર્ણ થવા પર ભાજપે દેશભરમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ પખવાડા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. તમામ કેન્દ્રીય સરકારના મંત્રીઓ, રાજ્ય સરકારોના મંત્રીઓ, કેન્દ્રીય પદાધિકારીઓથી લઇને મંત્રીમંડળ સુધીના તમામ અધિકારીઓ અને કાર્યકર્તાઓ આ સમયગાળા દરમિયાન યોજનાઓ પહોંચાડવા અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓ ગણાવવા માટે દેશના વિવિધ ભાગોમાં 75 કલાક જનસંપર્ક કરશે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા 30 મેના રોજ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરશે.

કાર્યક્રમો વિશે માહિતી આપતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે જણાવ્યું કે, પખવાડિયાના પહેલા દિવસે એટલે કે 30 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોવિડ-19ના કારણે અનાથ થયેલા બાળકો સાથે વાર્તાલાપ કરશે અને આ બાળકોને સહાય આપવામાં આવશે. દેશમાં વિવિધ સ્થળોએ પીએમ કેર ફંડ દ્વારા ચેક આપવામાં આવશે અને શિષ્યવૃત્તિની જાહેરાત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદી 31 મેના રોજ શિમલામાં ગરીબ કલ્યાણ સંમેલન દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરશે. આ જ દિવસે કેન્દ્ર સરકારના 75 મંત્રીઓ 75 સ્થળોએ ગરીબ કલ્યાણના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. દેશના 15734 મંડળોમાં શિમલાથી વડાપ્રધાનનું સંબોધન સાંભળશે અને લોકો સાથે સંવાદ સ્થાપિત કરશે.
1 અને 2 જૂનના રોજ તમામ રાજ્યોના પ્રમુખ મીડિયા સાથે વાતચીત કરશે. જેમાં પાર્ટીના મુખ્યમંત્રી પણ ભાગ લેશે. 3 અને 4 જૂનના રોજ, જિલ્લા સ્તરે, સંગઠનના 960 જિલ્લાઓમાં સાંસદો, ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખો મીડિયા સાથે વાર્તાલાપ કરશે અને કેન્દ્રની ગરીબ કલ્યાણ યોજનાઓ વિશે માહિતી આપશે. આ સાથે સમગ્ર પખવાડિયા માટે 75 કલાકનું જનસંપર્ક અભિયાન પણ ચલાવવામાં આવશે.
જેમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ, રાજ્ય સરકારોના મંત્રીઓ, કેન્દ્રીય પદાધિકારીઓથી માંડીને મંડળ સુધીના તમામ અધિકારીઓ અને કાર્યકરો ગામ, વોર્ડ અને દરેક ઘરે પહોંચીને આઠની સિદ્ધિઓ અને ગરીબ કલ્યાણના કાર્યક્રમોની માહિતી આપશે. વર્ષ આ દરમિયાન ભાજપ ઘણી રેલીઓનું પણ આયોજન કરશે. પાર્ટીના વિવિધ મોરચા પણ અલગ-અલગ દિવસે કાર્યક્રમોનું આયોજન કરશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારના રોજ ચેન્નાઈના JLN ઇન્ડોર સ્ટેડિયમમાં રૂપિયા 31,400 કરોડથી વધુની કિંમતની 11 પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં સામાજિક-આર્થિક સમૃદ્ધિમાં નોંધપાત્ર સુધારો કરવામાં મદદ કરશે. ઘણા ક્ષેત્રો પર પરિવર્તનકારી અસર કરશે અને રોજગારીની તકો ઊભી કરવામાં પણ મદદ કરશે, એમ વડા પ્રધાન કાર્યાલય (PMO) એ એક નિવેદનમાં જણાવ્યું હતું.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
