મમતાના અવિશ્વાસના પ્રસ્તાવને ભાજપ સમર્થન આપશે: ગડકરી
પાર્ટી અધ્યક્ષ ગડકરીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન પદ માટેના ઉમેદવારનો નિર્ણય કરવામાં આવશે. આ નિર્ણય જીતવામાં આવેલી સીટોના આધારે કરવામાં આવશે. તેમને કહ્યું હતું કે ભાજપ પ્રથમ લક્ષ્ય બહુમતિ પ્રાપ્ત કરવાનું છે. ત્યારબાદ બધા નેતાઓ સાથે બેસીને વડાપ્રધાનના નામ અંગેનો નિર્ણય કરશે.
ગડકરીએ સ્પષ્ટ કહ્યું છે કે બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે ચૂંટણી પહેલાં વડાપ્રધાન પદ માટેના ઉમેદવારના નામની જાહેરાત અંગે સલાહ આપી નથી. ભાજપના અધ્યક્ષે જેડીયૂ સાથે કોઇ અણબનાવ ન હોવાનું સ્પષ્ટ કર્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાનો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું હતું કે મોદીનું નામ પણ યાદીમાં સામેલ છે. તેમના મત મુજબ ભાજપમાંથી અડવાણી, સુષ્મા સ્વરાજ, રાજનાથ, જોશી અને નેરેન્દ્ર મોદી જેવા લોકપ્રિય અને સક્ષમ નેતા છે. સમય આવતાં આમાંથી કોઇ એકની પસંદગી કરવામાં આવશે.