ડીએમકે નેતાનો બીજેપી પર આકરો પ્રહાર, કહ્યું-બીજેપી માત્ર ગૌમુત્ર વાળા રાજ્યોમાં ચૂંટણી જીતે છે
હિન્દી બેલ્ટના મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને મોટી સફળતા મળી છે અને સરકાર બનાવવા જઈ રહી છે. હવે આ અંગે ડીએમતે સાંસદે વિવાદાસ્પદ નિવેદન આપીને વિવાદ છેડ્યો છે.
ડીએમકે સાંસદ સેંથિલ કુમારે સંસદમાં આપેલા નિવેદન પર મોટો વિવાદ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, બીજેપી માત્ર ગૌમૂત્ર રાજ્યોમાં જ ચૂંટણી જીતે છે.

તેમણે કહ્યું કે, આ બીજેપીની તાકાત મુખ્યત્વે હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં ચૂંટણી જીતવાની છે, જેને આપણે સામાન્ય રીતે ગૌમૂત્ર રાજ્યો કહીએ છીએ. સેંથિલ કુમારે દક્ષિણના રાજ્યો તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભાજપની નિષ્ફળતાઓ પર આકરા પ્રહાર કર્યા.
તેમણે કહ્યું કે, આ દેશની જનતાએ વિચારવું જોઈએ કે આ બીજેપીની તાકાત માત્ર હિન્દી હાર્ટલેન્ડ રાજ્યોમાં ચૂંટણી જીતવાની છે, જેને આપણે સામાન્ય રીતે ગૌમૂત્ર રાજ્યો કહીએ છીએ. આ પહેલીવાર નથી કે જ્યારે સેંથિલ કુમારે હિન્દી બેલ્ટના રાજ્યોને ગૌમૂત્રના રાજ્યો કહ્યા હોય. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2022 પર બોલતી વખતે DMK સાંસદે ગૌમૂત્રશબ્દનો ઉપયોગ કર્યો હતો.
બીજી તરફ કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સંસદમાં એક વ્યક્તિ શું બોલે તેની સાથે અમારે કોઈ લેવાદેવા નથી, આ તેમનું પોતાનું નિવેદન છે. અમે ગાય માતાનું સન્માન કરીએ છીએ, મારે આ અંગે કંઈ કહેવું નથી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
