Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્રમાં ભાજપનું કોકડુ ગુચવાયું, જાણો ક્યાં અટકી છે વાત?
Maharashtra Assembly Election 2024: વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે પાર્ટી મતદાતાઓને રિઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આવામાં મહારાષ્ટ્ર ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ભારતીય જનતા પાર્ટી રાજ્યની રાજકીય સ્થિતિની સમીક્ષા કરવા માટે મોટા નેતાઓને સતત મહારાષ્ટ્ર મોકલી રહી છે. ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ દ્વારા મહારાષ્ટ્રમાંથી ફીડબેક લેવામાં આવી રહ્યા છે.
ભાજપ મહારાષ્ટ્રમાં કોઈ ભૂલ કરવા માંગતી નથી. આ જ કારણ છે કે, મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોમાંથી નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે. ઘણા કેન્દ્રીય મંત્રીઓ સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓને મહારાષ્ટ્રની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી રહી છે.
દિગ્ગજ નેતાઓ મહારાષ્ટ્રની મુલાકાતે છે - મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટીના તમામ મોટા નેતાઓએ મહારાષ્ટ્રની અલગ-અલગ વિધાનસભાની મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્ર ચૂંટણીની તૈયારીઓને લઈને ભારતીય જનતા પાર્ટી હેડક્વાર્ટરમાં એક મોટી બેઠક પણ યોજાઈ છે.
આ બેઠકમાં આ દિગ્ગજ નેતાઓ દ્વારા મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ અંગે હાઈકમાન્ડને ફીડબેક આપવામાં આવ્યા છે. ભાજપની બેઠકમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, શિવ પ્રકાશ, પ્રહલાદ પટેલ, નરોત્તમ મિશ્રા સહિત અનેક નેતાઓએ હાજરી આપી હતી.

ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ ફીડબેકના આધારે પ્લાન બનાવશે - ભાજપ છેલ્લા કેટલાક મહિનાઓથી મહારાષ્ટ્ર પર ફીડબેક લઈ રહી છે. ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી દિગ્ગજ નેતાઓને મહારાષ્ટ્ર મોકલવામાં આવી રહ્યા છે.
આ નેતાઓ અહીંની રાજકીય પરિસ્થિતિ વિશે માહિતી લઈ રહ્યા છે, અને પ્રતિસાદ માટે ટોચના નેતૃત્વને મોકલી રહ્યા છે. આ ફીડબેકના આધારે મહારાષ્ટ્રમાં જીતની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્ર યાદવ અને અશ્વિની વૈષ્ણવને મહારાષ્ટ્ર ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે.
સીટ શેરિંગની ફોર્મ્યુલા નક્કી થશે - મહારાષ્ટ્રની અલગ-અલગ એસેમ્બલીનો રિપોર્ટ પીએમ મોદી અને અમિત શાહને મોકલવામાં આવ્યો છે.
નેતાઓએ મહારાષ્ટ્રના લોકો સાથે વાત કર્યા બાદ આ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ રિપોર્ટના આધારે પાર્ટી બેઠકોની વહેંચણી સહિત ઉમેદવારોની પસંદગી કરશે.
મહારાષ્ટ્રની રાજનીતિમાં સીટ શેરિંગમાં ભાજપ તેની સ્થિતિ વિશે પણ ચર્ચા કરી રહ્યું છે. ભાજપે નાના પક્ષોને પણ તક આપવી પડશે, પછી તે શિવસેના શિંદે જૂથ હોય કે એનસીપી અજિત પવાર જૂથ.
જોકે સીટ વહેંચણીની ફોર્મ્યુલા હજુ નક્કી થઈ નથી, પરંતુ ભાજપ માટે આ વખતે સીટો વહેંચવી એક મોટું કામ હશે. આ પછી મુખ્યમંત્રીના ચહેરાને લઈને પણ મુશ્કેલી આવી શકે છે.












Click it and Unblock the Notifications
