મહારાષ્ટ્રના વર્ધામાં બોટ પલટી, 11 લોકો ડૂબ્યા!
આ અકસ્માત મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. સ્થાનિકો બોટ દ્વારા વર્ધા નદી પાર કરી રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત થયો હતો. નદી પાસે હાજર લોકોએ તરત જ બચાવ કાર્ય શરૂ કરી પોલીસને જાણ કરી.
મંગળવારે મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે, જેમાં 11 લોકોના મોત થયા છે. અહીં વર્ધા નદીમાં બોટ પલટી જતાં 11 લોકો ડૂબ્યા હતા. અકસ્માત બાદ ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે આઠ મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે. અકસ્માતનો ભોગ બનેલા લોકો એક જ પરિવારના હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ અકસ્માત મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ સર્જાયો હતો. સ્થાનિકો બોટ દ્વારા વર્ધા નદી પાર કરી રહ્યા હતા ત્યારે જ આ અકસ્માત થયો હતો. નદી પાસે હાજર લોકોએ તરત જ બચાવ કાર્ય શરૂ કરી પોલીસને જાણ કરી. માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. NDRF ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બચાવ કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે, જેમાં એક બાળકીનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર આઠ લોકો હજુ પણ લાપત્તા છે, જેમની શોધખોળ ચાલુ છે.
હાલમાં બોટ ડૂબવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે વરસાદને કારણે નદીમાં વધુ પાણી હતું, તેથી નદીની વચ્ચે બોટ પલટી ગઈ હતી.
ગયા અઠવાડિયે બુધવારે આસામના જોરહાટમાં બ્રહ્મપુત્રા નદીમાં બે પેસેન્જર બોટ ટકરાઈ હતી. IWT ના એક અધિકારીએ જણાવ્યું હતું કે બોટમાં 120 થી વધુ મુસાફરો હતા, પરંતુ તેમાંથી ઘણાને બચાવી લેવામાં આવ્યા હતા. જોરહાટના ડેપ્યુટી કમિશનર અશોક બર્મને જણાવ્યું કે અત્યાર સુધીમાં 41 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
