For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરબ સાગરમાં બોટમાં આગ, કોસ્ટગાર્ડે 7 માછીમારોને બચાવ્યા!

ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એકવાર બહાદુરી અને તકેદારીથી લોકોના જીવ બચાવ્યા છે. સમાચાર છે કે, દક્ષિણ-પશ્ચિમ ભારતીય દરિયાકાંઠાથી 10 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં એક બોટમાં આગ લાગી હતી. તે બોટમાં માછીમારો હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ન્યૂ મેંગ્લોર, 6 નવેમ્બર : ભારતીય કોસ્ટ ગાર્ડે ફરી એકવાર બહાદુરી અને તકેદારીથી લોકોના જીવ બચાવ્યા છે. સમાચાર છે કે, દક્ષિણ-પશ્ચિમ ભારતીય દરિયાકાંઠાથી 10 નોટિકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં એક બોટમાં આગ લાગી હતી. તે બોટમાં માછીમારો હતા. બોટમાં આગ લાગતાં ભારતીય કોસ્ટ ગાર્ડને જાણ થતાં જ ત્યાં પહોંચી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડે ઘટનાસ્થળેથી સાત માછીમારોને બચાવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે કારવાર લાઇટહાઉસથી ગયા હતા. અહીંથી સેંકડો માછીમારો દરિયામાં માછીમારી કરવા જાય છે.

Arabian Sea

શુક્રવારે રાત્રે માછીમારોની બોટમાં આ આગ લાગી હતી. ત્યારબાદ ભારતીય કોસ્ટ ગાર્ડને જાણ કરાતા તાત્કાલિક ત્યાં પહોંચી હતી. કોસ્ટ ગાર્ડ્સ દરિયા કિનારાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ પર હોય છે. અરબી સમુદ્રમાં ઘણી વખત લોકોના જીવ બચાવ્યા છે. એક વખત એક જહાજ ગુજરાતના જખૌ કિનારેથી થોડા કિલોમીટર દૂર ડૂબ્યુ હતું ત્યારે પણ ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ 7 ક્રૂ મેમ્બર્સને ત્યાંથી બચાવી લેવામાં આવ્યા હતા, જો કે એક વ્યક્તિ ઊંડા પાણીમાં ગુમ થયો હતો. આ ઘટના બાદ માછીમારોને દરિયામાં ન જવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટના પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઝડપી પવનને કારણે થઈ હતી, જ્યાં અન્ય કેટલાક જહાજો પણ ડૂબ્યા હતા. ત્યારબાદ અન્ય સ્થળોએ પણ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ભારતીય સુરક્ષા દળોએ દરિયામાં ઘણી વખત પાકિસ્તાની નાગરિકોના જીવ પણ બચાવ્યા છે. જે દિવસે પાકિસ્તાનની લશ્કરી અદાલતે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને ફાંસીની સજા આપવાનો આદેશ આપ્યો હતો, તે દિવસે ભારતીય કોસ્ટ ગાર્ડે બે પાકિસ્તાની મરીન કમાન્ડોના જીવ બચાવ્યા હતા. આ ઘટના બરાબર 4 વર્ષ પહેલા બની હતી. કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, તે રાત્રે લગભગ 8.30 વાગ્યે મુંબઈના મેરીટાઇમ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટરને કરાચીથી ઈમરજન્સી કોલ આવ્યો હતો. પાકિસ્તાની મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી (PMSA)ની એક સ્પીડ બોટ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ગુમ થઈ ગઈ હતી. તે ભારતીય જળસીમામાં વહીને આવી ગઈ હતી. પરંતુ ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાનીઓને સુરક્ષિત બચાવી લીધા હતા. ત્યારે ફરી એકવાર કોસ્ટ ગાર્ડે દરિયામાં લોકોમાં જીવ બચાવ્યા છે.

English summary
Boat fire in Arabian Sea, Coastguard rescues 7 fishermen!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X