NIAના નિરીક્ષણ બાદ મહાબોધિ મંદિર ખોલીશું: નિતિશ
પટણા, 8 જુલાઇ: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે બોધગયાના મહાબોધિ મંદિરમાં ધમાકાને ધ્યાનમાં રાખતાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે બ્લાસ્ટ પર રાજકારણ કરવું ન જોઇએ.
તેમને કહ્યું હતું કે બોધગયા મંદિરની સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફને મળવી જોઇએ અને બિહાર સરકાર મંદિરની સુરક્ષાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે. તેમને કહ્યું હતું કે હું નિદેવનબાજ નથી અને સરકારની જીભ નહી પરંતુ સરકારનું કામ બોલે છે.
નિતિશ કુમારે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભાજપ સત્તામાંથી હટ્યા બાદ હચમચી ઉઠી છે અને કદાચ એટલે આરજેડી અને ભાજપ અંદરો-અંદર મળી ગયા છે.તેમને મહાબોધિ મંદિરમાં સીરિયલ બ્લાસ્ટને લઇને કહ્યું હતું કે બિહારમાં સીરિયલ બ્લાસ્ટ પહેલી વાર થયો નથી અને બ્લાસ્ટની એવી ઘટનાઓને રોકવાનો દાવો કોઇ પણ ન કરી શકે. તેમને કહ્યું હતું કે ગુપ્ત એલર્ટ પર બિહારના ડીજીપે નિવેદન આપશે. તેમને કહ્યું હતું કે એનઆઇએની ટીમના નિરીક્ષણ બાદ જ મહાબોધિ મંદિર ખોલવામાં આવશે.













Click it and Unblock the Notifications
