અનિલ દેશમુખ અને વાઝેના ભ્રષ્ટાચાર કનેક્શનની થશે CBI તપાસ, બૉમ્બે હાઈકોર્ટનો ચુકાદો
બૉમ્બે હાઈકોર્ટ અનિલ દેશમુખ અને વાઝેના ભ્રષ્ટાચાર કનેક્શનની CBI તપાસ કરવા કહ્યુ.
મુંબઈઃ પૂર્વ પોલિસ કમિશ્નર પરમબીર સિંહના આરોપો બાદ મહારાષ્ટ્રમાં જોરદાર રાજકીય ઘમાસાણ થયુ. પહેલા પરમબીર સુપ્રીમ કોર્ટમાં ગયા પછી ક્યાંથી તેમને હાઈકોર્ટ જવા માટે કહ્યુ. આ દરમિયાન ડૉ. જયશ્રી પાટિલે પરમબીર તરફથી બૉમ્બે હાઈકોર્ટમાં એક અરજી કરી હતી જેના પર સોમવારે સુનાવણી થઈ. આ સાથે જ કોર્ટે સીબીઆઈને 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. જો કે હાલમાં તરત જ એફઆઈઆર નોંઘવામાં નહિ આવે.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ કે આ કેસમાં મહારાષ્ટ્ર પોલિસ પાસે એફઆઈઆર નોંધવામાં આવી છે પરંતુ આરોપ સીધા રાજ્યના ગૃહમંત્રી ઉપર છે એવામાં નિષ્પક્ષ તપાસ માટે પોલિસ પર નિર્ભર ન રહી શકીએ. હાલમાં સીબીઆઈએ આ કેસની પ્રારંભિક તપાસ કરવી જોઈએ જેમાં મુંબઈ પોલિસ અને ગૃહમંત્રી સહયોગ કરે. ત્યારબાદ 15 દિવસની અંદર સીબીઆઈ ડાયરેક્ટર આના માટે રિપોર્ટ ફાઈલ કરશે. જો તેના દેશમુખ સામે કંઈ ઠોસ પુરાવા કે દલીલો મળો તે આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવશે.
વાઝેની ધરપકડથી બગડી સ્થિતિ
વાસ્તવમાં એંટીલિયા કેસમાં પોલિસ અધિકારી સચિવ વાઝેનુ નામ સામે આવવા પર એનઆઈએએ તેમની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ મહારાષ્ટ્ર પોલિસના ઘણા અધિકારીઓ પર પણ તપાસની તલવાર લટકી જેના જોઈને સરકારે મુંબઈ પોલિસ કમિશ્નર પરમબીર સિંહની ટ્રાન્સફર કરી દીધી. આ દરમિયાન ગૃહમંત્રી અનિલ દેશમુખે પણ તેમના પર ઘણી ટિપ્પણીઓ કરી. જેનાથી નારાજ પરમબીરે દેશમુખ સામે મોરચો ખોલી દીધો અને મહારાષ્ટ્રના સીમના નામે એક પત્ર લખીને તેને સાર્વજનિક કરી દીધો.
પરમબીરનો આરોપ છે કે ગૃહમંત્રી અનિલ દેશમુખના હાથ સચિન વાઝે ઉપર છે જેના કારણે તે ગેરકાયદે કામોને અંજામ આપતા હતા. આ ઉપરાંત દેશમુખે તેને મુંબઈના પબ, બાર, રેસ્ટોરન્ટથી 100 કરોડ રૂપિયાની વસૂલીને ટાર્ગેટ આપ્યો હતો. આ માટે વાઝે ઘણી વાર દેશમુખના ઘરે મળવા ગયા. પરમબીરની માંગ હતી કે સીબીઆઈ આ કેસની તપાસ કરે નહિતર દેશમુખ બધા પુરાવા નષ્ટ કરી દેશે. જેના કારણે તે કોર્ટમાં પહોંચ્યા. કોર્ટના ચુકાદા બાદ જયશ્રીએ જણાવ્યુ કે ઉચ્ચ ન્યાયાલયે 15 દિવસની અંદર પ્રારંભિક તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ દરમિયાન કોઈ ગુનો જોવા મળ્યો તો એફઆઈરઆર નોંધવામાં આવશે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
