અદાણી મામલે PM મોદીને પુછવામાં આવેલા 100 સવાલોની બુક લોન્ચ, કરતા રહીશુ JPC તપાસની માંગ
હિંડનબર્ગનો રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણીનો મામલો ખૂબ જ ગરમ બન્યો હતો. આ અંગે કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધવાનું ચાલુ રાખ્યું હતું. આ સાથે જ અદાણી કેસમાં જેપીસી તપાસની માંગ ઉઠાવી રહી છે. કોંગ્રેસે આ મામલે મોદી સરકારને અનેક સવાલો કર્યા હતા.

કોંગ્રેસે આ અંગે 'હમ અદાણી કે હૈ કૌન'ની લાંબી શ્રેણી ચલાવી હતી. આ શ્રેણીમાં કેન્દ્ર સરકારને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 100 પ્રશ્નો ધરાવતું પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું છે. કૉંગ્રેસના કોમ્યુનિકેશનના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે આજે અમે અદાણી મુદ્દે ફેબ્રુઆરીથી પીએમ મોદીને પૂછેલા 100 પ્રશ્નોથી સંબંધિત એક પુસ્તક લૉન્ચ કરી રહ્યા છીએ.
કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે અગાઉ પણ અમે સંસદમાં અદાણી કેસમાં જેપીસી તપાસની માંગણી કરી હતી, હવે જ્યારે નવી સંસદમાં ચોમાસુ સત્ર યોજાશે ત્યારે અમે પણ આ જ માંગણી કરીશું. જ્યાં સુધી મોદી સરકાર જેપીસીની માંગને મંજૂર નહીં કરે ત્યાં સુધી અમે આ માંગણી કરતા રહીશું.
આ સાથે જ જયરામ રમેશે પટનામાં યોજાનારી વિપક્ષની બેઠકને લઈને પણ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે 12 જૂને પટનામાં યોજાનારી બેઠકમાં ભાગ લઈ રહ્યા છીએ. આ બેઠકમાં કોણ હાજર રહેશે તેની ચર્ચા હજુ બાકી છે. કોંગ્રેસ અધ્યક્ષ સાથે ચર્ચા કર્યા બાદ ખબર પડશે કે આ બેઠકમાં કોણ કોણ હાજરી આપે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ










Click it and Unblock the Notifications
