આ ગામમાં નથી થતા છોકરાઓના લગ્ન, કારણ છે હાથી, જાણો કેમ?
હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ઘણા યુવાનોએ પોતાના ઘર વસાવી લીધા છે અને ઘણા લાઇનમાં છે, પરંતુ છત્તીસગઢના એક વિસ્તારમાં હાથીઓના કારણે છોકરાઓને દુલ્હન નથી મળી રહી. આ વાત તમને થોડી અજીબ લાગશે, પરંતુ આ સત્ય છે.
સૂરજપુર, 19 ફેબ્રુઆરી : હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, ઘણા યુવાનોએ પોતાના ઘર વસાવી લીધા છે અને ઘણા લાઇનમાં છે, પરંતુ છત્તીસગઢના એક વિસ્તારમાં હાથીઓના કારણે છોકરાઓને દુલ્હન નથી મળી રહી. આ વાત તમને થોડી અજીબ લાગશે, પરંતુ આ સત્ય છે. સૂરજપુર જિલ્લાના પ્રતાપગઢમાં હાથીઓના ગભરાટના કારણે છેલ્લા ઘણા વર્ષોથી કોઈ છોકરાઓ લગ્નના બંધનમાં બંધાઇ શકતા નથી.

જંગલી હાથીઓથી પ્રભાવિત છે પ્રતાપપુર
છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં પ્રતાપપુર નામનો વિસ્તાર છે, જ્યાં બે દાયકાથી વધુ સમયથી જંગલી હાથીઓનો આતંક છે. જંગલી હાથીઓ માનવ વસાહતો અનેખેતરોને નુકસાન પહોંચાડે છે.
ગ્રામજનોએ આખી રાત સતર્ક રહેવું પડે છે. હાલના સંજોગોમાં પણ 40થી વધુ જંગલી હાથીઓની ટીમ આ વિસ્તારમાં ધૂમ મચાવી રહીછે. આ વિસ્તારના લોકો માટે હાથીઓ મોટી સમસ્યા બનીને ઉભરી આવ્યા છે, જેમાંથી એક યુવકના લગ્ન ન થવાનું છે.
જંગલી હાથીઓનું અસ્તિત્વ પ્રતાપગઢના સ્થાનિક લોકોને ઘણી સમસ્યાઓ આપી રહ્યું છે, પરંતુ છેલ્લા વર્ષોમાં સ્થાનિક યુવાનો હાથીઓના કારણે એક નવી સમસ્યાનોસામનો કરી રહ્યા છે, જેના કારણે તેઓ ખૂબ જ પરેશાન છે, હકીકતમાં પ્રતાપગઢમાં હાથીઓની સમસ્યા છે.
જેના કારણે આ વિસ્તારના ગામમાં કોઈ પરિવાર પોતાનીદીકરીનો હાથ આપવા માંગતો નથી અથવા તો કોઈ મા બાપ પોતાની દીકરીના લગ્ન પ્રતાપગઢના છોકરાઓ સાથે કરવા તૈયાર નથી.

હાથીના ડરથી કોઈ આપતા નથી દીકરી
ગામના લોકો કહે છે કે, આ વર્ષે પણ વિસ્તારના કોઈ છોકરાના લગ્ન થઈ શક્યા નથી. કેટલાક કિસ્સાઓમાં લગ્ન નક્કી થયા બાદ છોકરીએ લગ્ન તોડી નાખ્યા છે. કારણકે તે હાથી પ્રભાવિત ગામમાં રહેવાનું જોખમ લેવા માગતી ન હતી.
વાસ્તવમાં લોકો એવું વિચારે છે કે, લગ્ન કર્યા બાદ તેમની પુત્રી અને તેનો પરિવાર કોઈપણ સમયેહાથીઓની હિંસાનો શિકાર બની શકે છે, તેથી કોઈ પોતાનો જીવ જોખમમાં મૂકવા માંગતું નથી.
સ્થાનિક રહેવાસી ઝીશાન ખાન જણાવે છે કે, અમારા વિસ્તારમાં હાથીઓના આતંકને કારણે લોકો પોતાની છોકરીના લગ્ન અહીંના છોકરા સાથે કરાવવા માંગતા નથી,જેના કારણે ઘણા છોકરાઓ બેચલર બનીને બેઠા છે. પ્રતાપપુરના સરપંચ વિક્રમ સિંહનું કહેવું છે કે, હાથીઓની હાજરી હવે લોકોને સામાજિક રીતે અસર કરી રહી છે.
યુવાનોના ભવિષ્યનો પ્રશ્ન છે તેથી અમે હવે પ્રશાસનને વિનંતી કરી રહ્યા છીએ કે, હાથીઓની સમસ્યામાંથી જલ્દી છૂટકારો મળે.

લોકો માને છે કે આ ચિંતા વાજબી છે
બીજી તરફ સુરજપુરના જનપ્રતિનિધિઓનું પણ માનવું છે કે, હાથીઓના આતંકને કારણે છોકરાઓના લગ્ન નથી થઈ રહ્યા. પ્રતાપપુરમાં કોઈ પણ દીકરીનામાતા-પિતાને લગ્નની ચિંતા હોય તે સ્વાભાવિક છે.

સરકારના આશ્રયમાં યુવાનો
રાજ્યના શિક્ષણ મંત્રી અને પ્રતાપપુરના ધારાસભ્ય પ્રેમસાઈ સિંહ ટેકમ પણ હાથીની સમસ્યાને ગંભીર માને છે. સાઈનું કહેવું છે કે, હાથીઓનો આતંક સમગ્ર રાજ્ય માટેમોટી સમસ્યા બની ગયો છે.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર ખાસ રણનીતિ બનાવીને કામ કરી રહી છે. સુરગુજા ડિવિઝનમાં હાથીઓનો આતંક છેલ્લા બેદાયકાથી વધુ સમયથી છે.
આ દરમિયાન છત્તીસગઢ સરકાર અને વન વિભાગ દ્વારા હાથીઓથી છૂટકારો મેળવવાના અનેક દાવા કરવામાં આવ્યા હતા, પરંતુ આજે પણઆ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
