For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

4 ડિસેમ્બર સુધી ઓપિનિયન પોલ પર રોક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 નવેમ્બરઃ આખરે કોંગ્રેસ પાર્ટની મન્નત પૂર્ણ થઇ ગઇ. ઓછામાં ઓછા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમા મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી તેમને રાહત મળી ગઇ છે, કારણ કે ચૂંટણી પંચે 11 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી એક્ઝિટ અને ઓપિનિયન પોલ પર રોક લગાવી દીધી છે.

election-commissioner
ચૂંટણી પંચે 9 નવેમ્બરની સાંજે એક પ્રકાશનાર્થ જારી કરતા આ પ્રતિબંધ લગાવ્યો. જ્યા સુધી મતદાન ના થઇ જાય, ત્યાં સુધી કોઇપણ ચેનલ, સમાચાર પત્ર અને ન્યૂઝ વેબસાઇટ એક્ઝિટ પોલનું પ્રકાશન અને પ્રસારણ નહીં કરી શકે. કેન્દ્રીય આયોગે આદેશની કોપી છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારીઓને મોકલી દીધી છે, જેથી તેઓ પોત-પોતાના રાજ્યોમાં આ આદેશને સુનિશ્ચિત કરી શકે.

મતદાન પર સર્વેક્ષણનું પ્રસારણ અને પ્રકાશન 11 નવેમ્બરે સવારે સાત વાગ્યાથી પ્રતિબંધિત થઇ જશે. 11 નવેમ્બરે જ છત્તીસગઢમાં પહેલા ચરણનું મતદાન થશે. આ પ્રતિબંધ ચાર ડિસેમ્બરે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી રહેશે. એ જ દિવસે દિલ્હીમાં મતદાન થવાનું છે.

સાચુ કહીંએ તો આયોગના આ નિર્ણયથી સૌથી વધુ ખુશી કોંગ્રેસ પાર્ટીને છે, કારણ કે અત્યારસુધી જેટલા પણ ઓપિનિયન પોલ આવ્યા, તેમાં કોંગ્રેસના ગ્રાફને નીચે જતો દર્શાવવામાં આવ્યો છે, જેના કારણે તમામ કોંગ્રેસીઓ પરેશાન થઇ ગયા. દિગ્વિજય સિંહ સહિત અનેક કોંગ્રેસીઓએ તેનો વિરોધ કર્યો હતો.

English summary
Even as a political debate over ban on opinion polls continues, the Election Commission has banned publication or broadcast of opinion polls 48 hours before polling in a state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X