Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો સાથ આપશે BSP, માયાવતીએ જણાવ્યુ સમર્થનનુ કારણ

બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમ માયાવતીએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

લખનઉઃ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે એનડીએના ઝારખંડના પૂર્વ રાજ્યપાલ અને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દ્રૌપદી મુર્મૂને એનડીએ દ્વારા ઉમેદવાર બનાવાયા બાદથી વિપક્ષી દળો હવે અસમંજસની સ્થિતિમાં આવી ગયા છે. હવે બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમ માયાવતીએ દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યુ, 'અમારી પાર્ટીએ આદિવાસી સમાજને તેના આંદોલનનો વિશેષ ભાગ માનીને રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે.

માયાવતીએ જણાવ્યુ સમર્થનનુ કારણ

માયાવતીએ જણાવ્યુ સમર્થનનુ કારણ

BSP સુપ્રીમો માયાવતીએ શનિવારે 25 જૂને ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કૉન્ફરન્સમાં માયાવતીએ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. માયાવતીએ કહ્યુ, 'અમારી પાર્ટીએ આદિવાસી સમાજને તેના આંદોલનનો વિશેષ ભાગ માનીને રાષ્ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મૂને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. અમે આ બહુ મહત્વનો નિર્ણય ભાજપ અને એનડીએના પક્ષમાં કે વિરોધ પક્ષની વિરુદ્ધમાં લીધો નથી. તેના બદલે તેમના પક્ષના આંદોલનને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજની સક્ષમ અને મહેનતુ મહિલાને દેશના રાષ્ટ્રપતિ બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

માયાવતીએ કર્યો વિપક્ષ પર પ્રહાર

માયાવતીએ કર્યો વિપક્ષ પર પ્રહાર

પ્રેસ કૉન્ફરન્સમાં પૂર્વ સીએમ માયાવતીએ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને વિપક્ષની બેઠકમાં બસપાને આમંત્રણ ન આપવા પર આકરા પ્રહારો કર્યા હતા. માયાવતીએ કહ્યુ કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી માટે બસપા નેતાને બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યુ ન હતુ. આ તેમની જ્ઞાતિવાદી વિચારસરણી દર્શાવે છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચૂંટણી દરમિયાન વિપક્ષનુ કાવતરુ દેખાઈ આવ્યુ છે. અમે એનડીએ નહિ પરંતુ આદિવાસીના પક્ષમાં મતદાન કરીશુ. તેમણે કહ્યુ, 'BSP એ પાછળ રહેનારી પાર્ટી નથી. બસપાને અલગ રાખવાનુ કારણ અન્ય પક્ષોનુ જાતિવાદી વલણ છે.'

કોંગ્રેસ-ભાજપ બાબા સાહેબની રાહ પર નથીઃ માયાવતી

કોંગ્રેસ-ભાજપ બાબા સાહેબની રાહ પર નથીઃ માયાવતી

માયાવતીએ કહ્યુ કે કોંગ્રેસ અને ભાજપ બંને બાબાસાહેબના માર્ગ પર નથી. આ બંને પાર્ટીઓ બસપાને અપમાનિત કરવાનુ કામ કરે છે. એટલુ જ નહિ તેમણે કહ્યુ કે આ પાર્ટીઓએ અમને રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયાથી દૂર રાખવાનો પ્રયાસ પણ કર્યો. બંગાળના મુખ્યમંત્રીએ બેઠકમાં કેટલાક પક્ષોને બોલાવ્યા પરંતુ અમને નહિ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિપક્ષે અમને અલગ કરી દીધા. માયાવતીએ કહ્યુ કે અન્ય પક્ષોએ બીએસપીને ભાજપની બી ટીમ કહીને ખોટા આરોપો લગાવીને તેને બરબાદ કરી દીધી છે. આ કારણે યુપીમાં માત્ર સપાની જ હાર નથી, બસપાને પણ ઘણુ નુકસાન થયુ છે.

બસપા કોઈની પાછળ રહેનારી પાર્ટી નથીઃ માયાવતી

બસપા કોઈની પાછળ રહેનારી પાર્ટી નથીઃ માયાવતી

પ્રેસ કૉન્ફરન્સમાં માયાવતીએ કહ્યુ કે બસપા કોઈની પાછળ રહેનારી પાર્ટી નથી. અમારા કથન અને કાર્યમાં કોઈ ફરક નથી. નિર્ભય રહેવાનુ નુકશાન અમે પણ ભોગવ્યુ છે. અમારા પક્ષનો સંકલ્પ અન્ય પક્ષો જેવો નથી. દેશના હિતની વિચારસરણી છે, જે જમીન પર ઉતારવાની છે. ગરીબ અને દલિત લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાના છે. ગરીબોના હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે ચોક્કસ લેવામાં આવશે. અમારી પાર્ટી 'જુમલેબાઝી' નથી કરતી... તે કામ કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X