બજેટ 2019: 5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
કેન્દ્રની મોદી સરકારે સેલરી ક્લાસ લોકોને એક મોટી ભેટ આપી છે. તેમને ટેક્સમાં 5 લાખ સુધીની આવક પર છૂટ આપી છે.
કેન્દ્રની મોદી સરકારે સેલરી ક્લાસ લોકોને એક મોટી ભેટ આપી છે. તેમને ટેક્સમાં 5 લાખ સુધીની આવક પર છૂટ આપી છે. અત્યારસુધી અઢી લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગતો ના હતો જેને વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે. પિયુષ ગોયલની મોટી જાહેરાત પછી સેલરી વર્ગને એક મોટી રાહત મળી છે. તેમને હવે 5 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં આપવો પડે.
આ પણ વાંચો: Budget 2019: ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવાની ઘોષણા

ટેક્સ મર્યાદા અઢી લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી
સ્ટાન્ડર્ડ ડિડક્શન 40 હજારથી વધારીને 50 હજાર કરી દેવામાં આવી છે. 40 હજાર સુધીના વ્યાજ પર ટીડીએસ નહિ લાગે. ટેક્સ મર્યાદા વધારી દેવાને કારણે 3 કરોડ લોકો ટેક્સ સ્લેબથી બહાર આવી ગયા છે. સેલરી વર્ગના લોકોને 6.50 લાખની ઈન્ક્મ પર કોઈ ટેક્સ નથી.

અમે કરદાતાઓનો આભાર માનીયે છે: પિયુષ ગોયલ
પિયુષ ગોયલે જણાવ્યું કે અમે કરદાતાઓનો આભાર માનીયે છે. તમારા ટેક્સને કારણે દેશનો વિકાસ થાય છે. જો 6.5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર પ્રોવિડન્ટ ફંડ અથવા બીજી ઇકવીટી માં રોકાણ કરે છે તો તેમને કોઈ ટેક્સ નહીં આપવો પડે. જીએસટીમાં સતત થઇ રહેલા ઘટાડાને કારણે લોકોને 80 હજાર કરોડની રાહત મળી છે.

નાના ખેડૂતોના ખાતામાં 6 હજાર આપવાનું એલાન
બજેટ 2019 દરમિયાન નાણામંત્રી પિયુષ ગોયલે ખેડૂતો માટે ઘણી ઘોષણાઓ કરી છે. તેમને કહ્યું કે તેમની સરકાર પીએમ સમ્માન નિધિ શરુ કરી રહી છે. તેના હેઠળ જે ખેડૂતો પાસે 2 હેક્ટર સુધીની જમીન છે તેમને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે. તેનાથી લગભગ 12 કરોડ ખેડૂતોને થશે.

ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે
તેમને કહ્યું કે ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવાનો પ્રયાસ આ સરકારે પાછલા પાંચ વર્ષમાં કર્યો છે. ખેડૂતોને આ 6 હજાર રૂપિયા 3 ઈન્સ્ટોલમેન્ટમાં ખેડૂતાના બેંક અકાઉન્ટમાં સીધા જ ટ્રાન્સફર કરવામાં આવશે. વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનું લક્ષ્ય છે. ખેડૂતોની ઉન્નતી અને આવકમાં વૃદ્ધિ થાય તે માટે અમારી સરકારે ઈતિહાસમાં પહેલીવાર તમામ 22 ફસલમાં ટેકાના ભાવ મહત્તમ આપ્યા છે.












Click it and Unblock the Notifications
