Budget 2021: મુખ્ય આર્થિક સલાહકારે આર્થિક સર્વેક્ષણ લૉન્ચ કર્યું, જાણો મહત્વની વાતો
Budget 2021: મુખ્ય આર્થિક સલાહકારે આર્થિક સર્વેક્ષણ લૉન્ચ કર્યું, જાણો મહત્વની વાતો
Budget 2021: સંસદનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. શુક્રવારે સૌથી પહેલાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિભાષણ આપ્યું, પરંતુ ખેડૂત આંદોલનને કારણે વિપક્ષી દળોએ તેનું બૉયકૉટ કરી દીધું. જે બાદ સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ 2020-21નો રિપોર્ટ રજૂ કર્યો. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના અનુમાન મુજબ નાણાકીય વર્ષ 2021માં વાસ્તવિક વિકાસ દર -7.7 ટકા અને નાણાકીય વર્ષ 2022માં વાસ્તવિક વિકાસ દર 11.5 ટકા રહેવાનું અનુમાન છે. બાદમાં સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે આર્થિક સર્વેક્ષણ 2020-21 લૉન્ચ કર્યું. આવો તેની સાથે જોડાયેલી મહત્વની વાતો જાણીએ...

- કે.વી. સુબ્રમણ્યમ મુજબ આર્થિક સર્વેક્ષણમાં પહેલું ચેપ્ટર કોરોના મહામારી દરમ્યાન લોકોની જીવન રક્ષા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાં પર આધારિત છે.
- ભારત સરકારે પોતાની નીતિઓમાં આ વાતનું ધ્યાન રાખ્યું કે લૉકડાઉનથી અર્થવ્યવસ્થા અને જીડીપીને ભારે નુકસાન થશે, પરંતુ તે બાદમાં પરત લઈ શકે છે. જો વધુ લોકોનો જીવ આ મહામારીથી ગયો તો તેને પરત લેવામાં નહિ આવે.
- સર્વેમાં એ વાત માલૂમ પડી છે કે કોવિડ 19 લોકડાઉનને કારણે તે સમયે નેગેટિવ ઈકોનોમી ગ્રોથ થયો, પરંતુ ભવિષ્યમાં આ ગ્રોથ પોઝિટિવ રહેશે.
- સખ્ત લૉકડાઉનને કારણે કોરોના વાયરસના કેસ તો ઘટ્યા જ છે, સાથે જ ઘણી હદ સુધી મોત પણ રોકી શકાઈ છે. આ એક-બે રાજ્યોમાં નહિ બલકે આખા દેશમાં હતું. એવામાં આર્થિક સર્વેક્ષણમાં માલૂમ પડ્યું કે લૉકડાઉન જીવન અને આજીવિકાને બચાવવાનું એક મોટું કારણ હતું.
- મુખ્ય આર્થિક સલાહકાર મુજબ મુશ્કેલ સમયમાં ભારતે જે નીતિગત પ્રતિક્રિયા આપી, તે એક પરિપક્વ અને દૂરદર્શી હતી. ભારતે દીર્ઘકાલિન લાભ પ્રાપ્ત કરવા માટે અલ્પાવધિમાં ઘણું બધું ભોગવ્યું છે.
- સુબ્રમણ્યમ મુજબ લૉકડાઉન વિના પણ કોરોના મહામારી અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરત, પરંતુ લૉકડાઉનને કારણે સમન્વય સ્થાપિત થયો અને વિરાટ સંખ્યામાં લોકોના જીવ બચ્યા.
More From
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
