મૌતની સાધના: ભગવાન પ્રગટ થશે અને બધાને બચાવી લેશે
દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની મૌત સાથે જોડાયેલા તથ્યો એક પછી એક બહાર આવી રહ્યા છે.
દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 લોકોની મૌત સાથે જોડાયેલા તથ્યો એક પછી એક બહાર આવી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારમા એક જ પરિવારના 11 લોકોના મોતથી સહુ કોઈ શોકમાં છે. મૃતકોમાં સાત મહિલાઓ અને બે બાળકો પણ શામેલ છે. શનિવાર અને રવિવારની વચ્ચે રાત્રે મૌતની સાધના કરવામાં આવી હતી. ઘરમાં મળી આવેલા રજીસ્ટરમાં આ સાધના અંગે બધા જ નિયમો લખ્યા હતા. ભગવાનને પ્રગટ કરવાના નિયમો ફોલો કરવામાં બધા જ માર્યા ગયા. રજીસ્ટરમાં લખ્યું હતું કે બધા જ ફાંસી લગાવશે તો ભગવાન પ્રગટ થઈને તેમને બચાવી લેશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ સાધનાની પ્લાંનિંગ લલિત અને ભૂપી બંને ભાઈઓ ઘ્વારા કરવામાં આવી હતી.

સાધના માટે શનિવારનો દિવસ પસંદ કર્યો
રજીસ્ટરમાં લખ્યું હતું કે સાધના મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવાર કોઈ પણ દિવસે કરી શકાય છે. શનિવારને સૌથી સારો દિવસ માનવામાં આવ્યો છે અને રજીસ્ટરમાં લખ્યું છે કે તે સૌથી ઉચિત દિવસ છે. પોલીસનું હાલનું માનવું છે કે રજીસ્ટરમાં લલિતની રાઇટિંગ છે.

રાત્રે 1 વાગ્યા પછી સાધના
રજીસ્ટરમાં લખ્યું હતું કે શનિવારે રાત્રે 1 વાગ્યા પછી સાધના કરવામાં આવશે. સાધના પહેલા નાહવાનું નથી, ફક્ત હાથ અને પગ ધોઈને બેસવાનું છે. ત્યારપછી બધા પોતાના હાથ અને પગ જાતે બાંધશે. વૃદ્ધ માતા વિશે જણાવવામાં આવ્યું કે સાધના માટે તેઓ સ્ટૂલ પર નહીં ચઢી શકે અને વધારે સમય ઉભા પણ નહીં રહી શકે. એટલા માટે તેમની સાધના બીજા રૂમમાં થશે.

બધા મોબાઈલ મંદિર પાસે રાખો
સાધના પહેલા બધાએ મોબાઈલ સાઇલેન્ટ મોડમાં રાખીને મંદિર પાસે મૂકી દીધા. સાધના સમયે ગળામાં બાંધવા માટે કોણે કઈ ચુનરીનો ઉપયોગ કરવાનો છે તેના વિશે પણ રજીસ્ટરમાં લખ્યું હતું. સાધના સમયે કોઈને પણ ચહેરા પર ડર નહીં હોવો જોઈએ એટલા માટે આંખ અને કાન બંધ કરવા પડશે. મોક્ષ મેળવવા માટે જીવન ત્યાગનું કષ્ટ સહન કરવું પડશે. રજીસ્ટરમાં લખ્યું હતું કે બધા જ લોકો ફાંસી લગાવી લેશે તો ભગવાન પ્રગટ થશે અને બધાને બચાવી લેશે.

જેવુ રજિસ્ટરમાં લખ્યુ છે તેવી જ હાલત
પોલિસ અધિકારીઓનું કહેવુ છે કે ઘટના સ્થળેથી જે રજિસ્ટર મળ્યુ છે તેમાં એ પણ લખ્યુ છે કે મોઢા પર ટેપ કેવી રીતે લગાવવાની છે. કાનોમાં રૂ કેવી રીતે લગાવવાનું છે. મોઢા પર રૂમાલ કેવી રીતે બાંધવાનો છે. ત્યારબાદ શું શું કરવાનું છે. બધુ રજિસ્ટરમાં લખ્યુ છે. પોલિસનું કહેવુ છે કે જે રીતે વાતો રજિસ્ટરમા લખી છે ઘટના સ્થળેથી તે જ હાલતમાં શબ મળ્યા છે. મૃતદેહો પાસે રૂ નું પેકેટ, ડૉક્ટર ટેપ અને સ્ટુલ મળી આવ્યા છે. ઘરનો આખો સામાન પોતાની જગ્યાએ જેમનો તેમ જ રાખેલો છે.

રવિવારે સવારે તે રીતે જ લટકતી મળી લાશો
વૃદ્ધ માતાની સાધના બીજા રૂમમાં કરાવવામાં આવી એટલે કે તેમને ગળું દબાવીને મારવામાં આવ્યા. બાકીના 10 લોકો ઘ્વારા ચુનરી અને સાડીના સહારે ફાંસી લગાવી. લલિત અને તેની પત્ની સિવાય બાકી બધાના હાથ અને પગ બંધાયેલા હતા. પોલીસનું કહેવું છે કે લલિત અને તેની પત્નીએ બધાને ફાંસી પર લટકાવ્યા અને પછી જાતે પણ ફાંસી પર લટકી ગયા. બની શકે છે કે સાધનાની આડમાં કોઈ મોટું ષડયંત્ર રચાયું હોય. પોલીસ તેની પણ તપાસ કરી રહી છે.

આત્મહત્યા કહીને મામલો દબાવવાની કોશિશ
પોલીસની શરૂઆતી તપાસમાં એવું દેખાઈ રહ્યું છે કે લલિતે સૌથી છેલ્લે ટીના સાથે ફાંસી લગાવી. તો શુ આ બધું તેને જ નક્કી કર્યું હતું? કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું પણ સામે આવ્યું છે કે નારાયણ દેવીનું ગળું પણ લલિતે દબાવ્યું હતું. પરંતુ હજુ સુધી તેની કોઈ પણ પુષ્ટિ થઇ નથી. બીજી બાજુ નારાયણ દેવીની દીકરી સુજાતા ઘ્વારા મીડિયાને એક અલગ જ કહાની જાણવા મળી છે. સુજાતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આત્મહત્યાનો મામલો બિલકુલ નિરાધાર છે. આખો મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
