Bypoll 2022 : પેટાચૂંટણી માટે ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, આ નેતાઓને આપી ટીકિટ
Bypoll 2022 : ભારતીય જનતા પાર્ટીએ 1 લોકસભા અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની મેનપૂરી લોકસભા સીટ માટે રધુરાજ સિંહ શાક્યને મેદાનમાં ઉતાર્યા છે.
Bypoll 2022 : ભારતીય જનતા પાર્ટીએ 1 લોકસભા અને 5 વિધાનસભાની બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની મેનપૂરી લોકસભા સીટ માટે રધુરાજ સિંહ શાક્યને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ઉત્તર પ્રદેશની ખતોલી વિધાનસભા બેઠક પરથી રાજકુમારી અને રામપુર બેઠક પરથી આકાશ સક્સેનાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
ભરતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ઉત્તર પ્રદેશમાં લોકસભાની 1 બેઠક માટે અને રાજસ્થાન, બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણી 2022 માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.

ભાજપે મેનપુરીથી રઘુરાજ સિંહ શાક્યને આપી ટીકિટ
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની મેનપુરી લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે રઘુરાજ સિંહ શાક્યને તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યાછે.
ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીએ આ સીટ પરથી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. આ સાથે ઈટાવાના રઘુરાજ શાક્યને શિવપાલ યાદવની ખૂબ નજીક માનવામાં આવે છે.
રઘુરાજ શાક્ય 2 વખત સપા તરફથી સાંસદ રહી ચૂક્યા છે અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. મેનપુરી લોકસભા પેટાચૂંટણીમાં સપાના ડિમ્પલ યાદવ અને બીજેપીના રઘુરાજ શાક્ય વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે.

મુલાયમ સિંહના નિધન બાદ ખાલી પડી હતી મેનપુરી સીટ
મેનપુરી લોકસભા સીટ સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. મેનપુરી સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે અને મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

ભાજપના વિધાનસભા સીટના ઉમેદવારો
ભારતીય જનતા પાર્ટીએ રામપુર વિધાનસભા પેટાચૂંટણી માટે આકાશ સક્સેનાને ટિકિટ આપી છે, જ્યારે રાજકુમારી સૈનીને મુઝફ્ફરનગરનીખતોલી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
આ સિવાય ભાજપે રાજસ્થાનની સરદારશહેર બેઠક પરથી અશોક કુમાર પિંચાને મેદાનમાંઉતાર્યા છે.
આ સિવાય પાર્ટીએ બિહારની કુર્હાની સીટથી કેદાર પ્રસાદ ગુપ્તા અને છત્તીસગઢની ભાનુપ્રતાપપુર સીટથી બ્રહ્માનંદ નેતામનેમેદાનમાં ઉતાર્યા છે.

5 ડિસેમ્બરના રોજ યોજાશે મતદાન
ઉત્તર પ્રદેશની મૈનપુરી લોકસભા સીટ, રામપુર અને ખતોલી વિધાનસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણી માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે.
આ ઉપરાંત રાજસ્થાનની સરદારશહેર વિધાનસભા બેઠક, બિહારની કુર્હાની વિધાનસભા બેઠક અને છત્તીસગઢની ભાનુપ્રતાપપુર વિધાનસભા બેઠક માટે પણ 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. આ તમામ બેઠકોની મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
