સીએએ વિરોધ: દરિયાગંજ હિંસામાં દિલ્હી પોલીસે 10 લોકોની કરી ધરપકડ
નાગરિકત્વ સંશોધન કાયદાની વિરૂદ્ધ શુક્રવારે દિલ્હીમાં દેખાવો ચાલુ રહ્યા હતા. નમાઝ બાદ હજારો લોકોએ જામા મસ્જિદની બહાર દેખાવો કર્યા.
નાગરિકત્વ સંશોધન કાયદાની વિરૂદ્ધ શુક્રવારે દિલ્હીમાં દેખાવો ચાલુ રહ્યા હતા. નમાઝ બાદ હજારો લોકોએ જામા મસ્જિદની બહાર દેખાવો કર્યા. દરિયાગંજમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, આ દરમિયાન ભીડ હિંસક બની હતી. પોલીસે તેને કાબૂમાં કરવા ભીડ પર લાઠીચાર્જ કર્યો, ત્યારબાદ વિરોધીઓએ એક કારને આગ ચાંપી દીધી. દિલ્હી પોલીસે આ કેસમાં 10 લોકોની ધરપકડ કરી છે.
પોલીસે 10 લોકોની કરી ધરપકડ
દરિયાગંજ વિસ્તારમાં હિંસાના કેસમાં દિલ્હી પોલીસે 10 લોકોને અટકાયતમાં લીધા છે. અહીં વિરોધકારો દ્વારા એક કારને આગ ચાંપી દેવામાં આવી હતી. દરિયાગંજ હિંસા અંગે દિલ્હી પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે શુક્રવારે જામા મસ્જિદ વિસ્તારમાં નમાઝ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. નમાઝ પછી તેઓ જંતર-મંતર તરફ કૂચ કરીને વિરોધ કરવા માંગતા હતા, પરંતુ ત્યાં ઉપસ્થિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ તેઓને જંતર-મંતર તરફ કૂચ ન કરવા સમજાવ્યા હતા.
|
પ્રદર્શનકારીઓએ કર્યો પથ્થરમારો
દિલ્હી પોલીસે જણાવ્યું કે શુક્રવારે સાંજે વિરોધ દરમિયાન અચાનક ભીડમાં રહેલા કેટલાક લોકોએ પોલીસની સલાહ વિરૂદ્ધ જંતર-મંતર તરફ કૂચ કરવા માટે બેરિકેટ્સ તોડવાનું અને પથ્થરમારો શરૂ કર્યો હતો. પોલીસે તેમને પાછળ ધકેલવા માટે વોટર કેનન અને બળનો ઉપયોગ કર્યો હતો. પોલીસે જામા મસ્જિદ અને દરિયાગંજ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરનારાઓ પર વોટર કેનનો ઉપયોગ કર્યો હતો. જે બાદ ટોળા વિખેરાયા હતા.
જામિયામાં પણ થયુ પ્રદર્શન
સુધારેલા નાગરિકત્વ કાયદાને લઇને જામિયા વિસ્તારમાં હિંસક દેખાવો થયા હતા, ત્યારબાદ સીલમપુર અને ઝફરાબાદમાં પોલીસે પથ્થરમારો કર્યો હતો. જો કે, ગુરુવારે દિલ્હીમાં હિંસાની ઘટનાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ શુક્રવારે ફરી એકવાર વિરોધીઓએ કાર સોંપી હતી.